SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ કાંઇ હાલા આવ્યો હાય, એમ માનવાનું કાંઇ ખાસ કારણ નથી. આવેલાં પરિણામેાના જે અંદાજ અશાર્ક કરેલા છે તેનાથી ગ્રીસનું નરમપણું સાબીત થાય છે તેના કરતાં તે તેનું પેાતાનું અભિમા વધારે સાબીત થાય છે. કાઇ ‘જંગલી મનુષ્ય’ઊડીને ધર્મના ઉપદેશ કરતા આવે, એ અર્થહીન વિચારથી ગ્રીસના લકાને કેટલી ગમત પડી હશે ? એની કલ્પના આપણે કરી શકીએ છીએ. પરંતુ પરદેશી રાજાના હુકમથી એ લોકા પાતાના દેવાને અને વહેમાને તરછોડે, એ તા આપણી કલ્પનામાં આવી શકતું નથી. '' ૧ બૌદ્ધપ થા ફેલાવા કરવાના હેતુથી જ અશેકે ગ્રીસના રાજાઓની હજૂરમાં પેાતાના દૂતાને મેકલેલા, એવેા પૂર્વગ્રહ અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ સાહેબે અહીં બાંધી દીધેલા છે. પરંતુ એ તે એમની કેવળ કલ્પના જ છે. અશાકના તેરમે મુખ્ય શિલાલેખ વાંચીને આપણે તેા ધણુંકરીને એમ જ સમજવાનું છે કે, ગ્રીસના રાજાએના દરબારમાં પેાતાના દૂતાને મેાકલવાના રિવાજ તા પહેલીથી જ અશાક રાખેલા હતા; પરંતુ પેાતાના અમલદારાની મારફતે ગ્રીસનાં રાજ્યામાં એવા જ ધમ પ્રચાર કરવાની જે તક તેને મળેલી તેના લાભ તેણે લઇ લીધેા હતા. આપણે એટલું તેા જાણીએ છીએ કે, સેલ્યુકસે પેાતાના રાજકાળમાં મૌય રાજદરબારમાં પેાતાના એ દતાને ક્રમશઃ માકલી આપ્યા હતા. મીસરના રાજા ટાલેમી ફિલાડેલ્ફસે પણ એ હિંદી દરબારમાં પેાતાને એક દૂત મેાકલાવ્યા હતા. આમ હતું તે પછી, ચંદ્રગુપ્તના સમયથી માંડીને મૌ વશના રાજાએ ગ્રીસના રાજદરબારમાં પેાતાના દૂતા બદલામાં માકલી આપતા હાય, એ કાંઇ અશકય નથી. ધર્મપ્રચારના કામે અશાકે ઉપલી પાયરીના પેાતાના અમલદારાને નીમ્યા હતા તો પછી એ જ રૂઢિને અનુસરીને પેાતાના દૂતાને પણ ગ્રીસના રાજ્યમાં એ કામ તેણે સાંપ્યું હાય, એ બનવાજોગ છે. અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ વધારામાં એમ માને છે કે, ' અશોકના દૂતા ધર્મોપદેશક ૧. “ બુદ્ધિસ્ટ ઇંડિયા '' ( બૌદ્ધ હિંદુસ્તાન ), પૃ. ૨૯૮–૨૯૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy