SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ હતું. પરંતુ અશોકના સમયમાં શ્રદ્ધપંથનાં તડ પડ્યાં હતાં ખરાં? તડ પડતાં અટકાવવાં, એ અશોકના ઉક્ત લેખને હેતુ હતે ખરે; પણ સંઘમાં અનેક તડ પડી ગયાં હતાં, અને વધારે તડ પડતાં અટકાવવાને અશોક મથી રહ્યો હતો. એવું અનુમાન આપણે કરીએ તે કાંઈ હરકત નથી. સિંહલદ્વીપના ઈતિહાસસંગ્રહમાં જે પરંપરાગત ૌદ્ધસાહિત્ય સચવાઈ રહેલું છે તેમાં એમ કહ્યું છે કે, અશોકનો રાજ્યાભિષેક થયો ત્યારપછી અઢાર વર્ષે પાટલિપુત્રમાં બૈદ્ધપરિષદ ભરાઈ હતી. વળી, તેમાં એમ પણ કહ્યું છે કે, એ શાળ સંધના બે મુખ્ય વિભાગ પડી ગયા હતા-(૧) થેરવાદ અને (૨) મહાસંધિકા થેરવાદની બે શાખાઓ થઈ ગઈ હતી, અને મહાસંધિકની ચાર શાખાઓ બની ગઈ હતી : એમ પણ એમાં કહ્યું છે. ઉપર્યુક્ત પરંપરાગત લેકકથાને આપણે માન્ય રાખીએ તે આપણે એટલું અનુમાન તે કરી શકીએ કે, અશોકના કાળમાં બદ્ધપથમાં તડ તેમ જ પટાતડ પડી ગયાં હોવાં જોઈએ. આમ હોય તે પછી તડ પડતાં અટકાવવાને કાતરાએલા અશોકના ઉક્ત લેખને શો અર્થ થઈ શકે? એકંદરે શ્રાદ્ધપંથમાં પડતાં તડને અટકાવવાને અશોકને હેતુ નહિ હોય, પણ તેના જે તડમાં કે પેટાતડમાં તે પોતે હશે તે તડમાં કે પેટાતામાં વધારાનાં તડ પડતાં અટકાવવાને અશકને હેતુ હશે એમ આપણે માનવું ખરું ? અશોક પિતે બ્રહ્મપંથના જે તડને હશે તેને પિતાના લેખમાં સંધ” નામ તેણે આપ્યું હેય, એ બનવાજોગ છે. આ અભિપ્રાયને આપણે માન્ય રાખીએ તે પછી, અશોકે જ્યાં જ્યાં સંધ’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તે પિતે બૌદ્ધપંથના જે તડને સભ્ય હતા તે તડને ઉદેશીને વાપર્યો છે, એમ આપણે માન્ય રાખવું જોઈએ. પણ આ વાત આપણું ગળે ઊતરી શકતી નથી, કારણ કે, ધર્મમહામાના ઉલ્લેખવાળા સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશકે આજીવની ૧. ક્નકૃત “મૈન્યુઅલ ઓફ ઈન્ડિયન બુદ્ધીઝમ ”(હિંદી બાદ્ધપંથને લઘુગ્રંથ), ૫. ૧૧૦-૧૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy