SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અંચલગચ્છ દિગ્દર્શન ૨૫૩. જનશ્રુતિ પ્રમાણે જગસ્વામી–સૂર્યનું પહેલું મંદિર સં. ૨૨૨ માં બંધાયું. સં. ૨૬૫ માં ભિન્નમાલ ભાંગ્યું, પહેલીવાર. સં. ૪૯૪ માં બીજીવાર શહેર ભાંગ્યું. સ. ૭૦૦ માં નગર ફરીવાર બંધાયું. સ. ૯૦૦માં તે ત્રીજીવાર ભાંગ્યું. સ. ૯૫૫માં ફરીવાર બંધાયું. અને ૧૪મા સૈકા સુધી સમૃદ્ધ રહ્યું. ૨૫૪. ૫. લાલન ભિન્નમાલ વિષે જે હકિકત વર્ણવે છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે: સં. ૨૦૨ માં આ નગરમાં અજિતસિંહ સોલંકી રાજ્ય કરતો હતો. એ વખતે મીરમામો નામના મુસલમાને નગરનો નાશ કર્યો. રાજા પણ કરાશે. નગર પુનઃ વસ્યું. તે વખતે શ્રીશ્રીમાળી બ્રાહ્મણોનાં 31 હતાં. અનુક્રમે સં. ૫૦૩ માં સિંહ નામે રાજા થયે. તે અપુત્ર હોવાથી અવંતીનગરીના મોહલ નામના ક્ષત્રિયના કુમાર જઈઆણને દત્તક લીધે. સં. પરછમાં જઈઆણકુમાર ગાદીએ આવ્યું. સ. ૫૮૧ માં તેને પુત્ર શ્રી રાજા થયો. તેને પુત્ર મૂલજી સં. ૬ ૦૫ માં ગાદીએ આવ્યો. સં. ૬ ૪પ માં તેનો પુત્ર ગોપાલ રાજા થયો. સં. ૬૭પ માં તેને પુત્ર રામદાસ તેની ગાદીએ આવ્યા. સ. ૭૦૫ માં તેનો પુત્ર સામંત રાજા થયો. તેણે જ્યત અને વિજયંત નામના પિતાના પુત્રોને રાજ્યના ભિન્નમાલ અને લોહિઆણુ એમ બે વિભાગે કરી આપ્યા. સં. ૭૧૯ માં બન્ને ગાદી ઉપર આવ્યા. પિતાનાં મૃત્યુ બાદ ભિન્નમાલના જયંત રાજાએ પોતાના ભાઈ વિજયંતનું લેયિાણ નગરનું રાજ્ય ખૂંચવી લીધું. આથી વિજયંત બેનાતટમાં પિતાના મામા અને રત્નાદિત્ય રાજાના પુત્ર વિજેસિંહ પાસે ગયો. મેસાળ પક્ષ તરફથી રાજ્ય મેળવી આપવા આશ્વાસન મળતાં વિજયંત શંખેશ્વર જઈ વસ્યો. સર્વદેવસૂરિના ઉપદેશથી તેણે સં. ૭૨૩ ના માગશર સુદી ૧૦ ને ગુરુવારે જૈનધર્મ અંગીકાર કર્યો. તે પછી તેના મામાએ તેને લોહિયાણનું પુનઃ રાજ્ય અપાવ્યું. ૨૫૫. સં. ૭૩૫ માં તેને પુત્ર જયમલ્લ રાજી થયો. સ. ૭૪૧માં તેનો ભાઈ જેગા તેની ગાદી ઉપર બેઠે. સં. ૭૪૯ માં જેગો પણ અપુત્ર હોવાથી તેનો ભાઈ જયવંત રાજી થયો. સ. ૭૬૪માં તેમના વંશજ ભાણ ગાદીએ આવ્યો. ભિન્નમાલનો રાજ જયંત અપુત્ર હોવાથી રાજ્ય ભાણ રાજાના હાથમાં આવ્યું. ભાણ રાજા મહાપરાક્રમી હતો. તેણે રાજ્યની હદ છેક ગંગા નદીના કિનારા સુધી વિસ્તારી. રાજાએ શત્રુંજયનો તથા ગિરનારજીનો મોટો સંધ પણ કાઢેલ. સંઘપતિને તિલક કરતી વખતે ઉદયપ્રભસૂરિ અને સોમપ્રભસૂરિ વચ્ચે વિવાદ થયો. ઉદયપ્રભસૂરિએ રાજાને ઉપદેશ આપીને જૈન બનાવેલો. રાજા સેમપ્રભમુરિનો ભત્રીજો હતો. એ વખતે દરેક ગાના આચાર્યોએ મળીને નક્કી કર્યું કે પરંપરામાં ચાલ્યા આવતા ગુરુને જ તેઓ શ્રાવક ગણાય. આથી ઉદયપ્રભસૂરિના જ તેઓ શ્રાવક ર્યા. ત્યારથી નક્કી થયું કે જે કોઈ આચાર્ય જેને પ્રતિબોધ આપી જૈન બનાવે તે આચાર્યનો તે શ્રાવક ગણાય અને તે શ્રાવકની યાદી આચાર્યે રાખવી. વહીઓ લખવાની પ્રથા ત્યારથી અમલમાં આવી. આ નિર્ણયનાં લખાણ ઉપર નાગેન્દ્રગથ્વીય સોમપ્રભાચાર્યો, ઉપકેશગચ્છીય સિદ્ધિસૂરિ, નિવૃત્તિનછીય મહેન્દ્રસૂરિ, વિદ્યાઘગચ્છીય હરિવાણંદમરિ, બ્રહ્માણગચ્છીય જજગરિ, સાંડરગથ્વીય ઈશ્વરસૂરિ, બૃહદ્ગછીય ઉદયપ્રભસૂરિ વિગેરે ચર્યાસી ગોના નાયકે એ વઢવાણુમાં રહીને સં. ૭૫ ના ચિત્ર સુદી ૭ ને દિવસે સહી કરી. ભાણ રાજાએ પણ તેમાં સાક્ષી કરી. ૨૫૬. ભાણ રાજાએ ઉકેશનગરના ઓશવાળ જ્ઞાતિના જયમલની કન્યા રત્નાબાઈ સાથે લગ્ન કરેલું. તે રાણથી તેને રાણા અને કુંભા નામના બે પુત્રો થયેલા. સં. ૭૯૫ ના માગશર સુદી ૧૦ ને રવિવારે તેણે સાધમિક બંધુઓનાં મનવાંછિત પૂર્ણ કરવાની ઉપણા પણ કરેલી. ૨૫૭. ભિન્નમાલનું સમૃદ્ધ રાજ્ય સં. ૧૧૧૧ માં મુસલમાન રાજા બેડીમુગલે લુટયું અને ભિન્ન Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy