SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરક્ષિતરિ અંચલગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદવી. ૧૫૨. અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી મનાય છે. મેÚગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં મહાકાલીદેવી સંબંધમાં ઘણું પ્રસંગો જોવા મળે છે. એક પ્રસંગમાં મહાકાલી દેવી આર્ય. રક્ષિતસૂરિની કસોટી કરે છે. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીએ પાવાગઢ પર વસનારી પિતાની સખી મહાકાલીદેવી પાસે આચાર્યનાં ત્યાગ, વૈરાગ્ય અને ગંભીરતા આદિ ગુણોની ભારે પ્રશંસા કરી. મહાકાલીદેવીએ પ્રશંસા સાંભળીને એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. યશોધન ભણશાળીએ આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી શત્રુંજયને સંઘ કાલે. આચાર્ય પણ સંઘ સાથે જ હતા. તેઓ સંધની રસોઈમાંથી પ્રાયઃ આહાર લેના નહીં પરંતુ નજીકના સ્થાનમાંથી જ ભિક્ષા લાવીને આહાર કરતા હતા. સંઘ જ્યારે ખેડા પહોંચ્યો ત્યારે એક મુનિ સાથે આચાર્ય ગોચરી માટે ગયા. મહાકાલીદેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આહાર માટે નિમંત્રણ કરી આયંરક્ષિતસૂરિને મેદક ભરેલો થાળ વહેરાવા માટે ધર્યો. દેવીનાં ચક્ષને નિમેષરહિત જોઈ આ દેવપિંડ છે અને તે મુનિઓને લે કલ્પ નહીં એમ નિશ્ચય કરી તેઓ ભિક્ષા વિના જ પાછા ફર્યા ૧૫૩. બીજા એક પ્રસંગમાં મહાકાલીદેવીએ સ્ત્રીનું રૂપ લઈને સેનામહેર ભરેલે થાળ આચાર્ય સામે છે તેનો આગ્રહ હોવા છતાં આચાર્યો તે સવીકાર્યો નહીં. તેનો અત્યંત આગ્રહ જાણીને આચાર્યો તેમાંથી એક મહોર લીધી અને તે સાધારણું ખાતે વાપરવાને શ્રાવકોને સમર્પિત કરી એવો વૃદ્ધવાદ છે. આચાર્યની નિસ્પૃહતા જોઈને સંતુષ્ટ થયેલી દેવી પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને કહેવા લાગી કે દેવ ! હું આપના ઉપર પ્રસન્ન થઈ છું. આપે એક સોનામહોર લેવાથી આપના ગચ્છના શ્રાવકેમાંથી એક છે લક્ષાધિપતિ ચોક્કસ રહેશે. વળી, આપને સમુદાય વિવિપક્ષ ગચ્છનાં નામથી પ્રસિદ્ધ થઈને જિનશાસનને ઉદ્યોત કરશે. પાવાગઢ ઉપર નિવાસ કરનારી હું મહાકાલીદેવી આજથી આપને ગચ્છની અધિષ્ઠાયિકા થઈશ.” ૧૫૪. ઉક્ત પટ્ટાવલીમાં એ પછી તો વિઘો વખતે આચાર્યો મહાકાલીદેવીનું સ્મરણ કરે અને દેવી પ્રત્યક્ષ થઈ વિધ નિવારે એવા અનેક પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે. મેનું મૂરિ સુધીના પટ્ટધરોનાં વ્યાખ્યાનમાં ચક્રેશ્વરી, પદ્માવતી અને મહાકાલી એ ત્રણે દેવીઓ પધારતી એવી માન્યતા પણ ઘણું જ પ્રચલિત છે. ૧૫૫. સં. ૧૬૯૧ માં અમરસાગરસૂરિ રચિત “વર્ધમાનપદ્ધસિંહ શ્રેછીચરિત્રમ 'ની મંગળા ચરણમાં આર્યરતિસૂરિને પ્રણામ કર્યા પછી ગચ્છની અધિષ્ઠાયિકા, વાંછિત અર્થ આપનારી, પાવાગઢનિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છેઃ गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् । वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥ ૧૫૬. ઉક્ત ચરિત્રના પ્રથમ સર્ગના ૧૨મા લેકમાં અમરસાગરસૂરિએ આરક્ષિતરિના પટ્ટધર શિષ્ય જયસિંહસૂરિને “કાલીન પ્રસાદને પ્રાપ્ત કરનારા' કહ્યા છે : છીછરવા વમુઃ || લાલણ કુમારને જૈનધર્માવલંબી બનાવ્યા પછી જયસિંહરિએ તેને પાવાગઢનિવાસિની મહાકાલીનું પૂજન કરવાનું કહ્યું – लालणोऽथ महाकाली पूजयामास भावतः । सूरीशस्योपदेशेन पावादुर्ग-निवासिनीम् ॥ એ પછી લાલણકુમારે લક્ષ્મીનું રૂપ ધારણ કરનારી કાલીને ગોત્ર–દેવી તરીકે સ્થાપી, ઈત્યાદિ વૃત્તાંત આપણે પાછળથી શું Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy