SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરક્ષિતસૂરિ ૨૫ મુશ્કેલ બનેલું, પરિણામે આખૂ ઉપર ટેલી નામનાં ગામની નજીક વટવૃક્ષની નીચે છાણના વાસક્ષેપથી સર્વ દેવસૂરિ તથા અન્ય શિને આચાર્યપદે સ્થાપવામાં આવેલા. આવી રીતે ચાવડાઓના રાજ્યપ્રદેશમાં ચૈત્યવાસીઓ વિના અન્ય સાધુઓને આવવાને પણ રાજ્ય તરફથી પ્રતિબંધ હતો. ૯૭. વનરાજ, ગરાજ, ક્ષેમરાજથી તે ઠેઠ સામંતસિંહ સુધીના ચાવડારાજાઓ મૈત્યવાસી સાધુઓને ધમગસ અને રાજયગર તરીકે માનતા હતા. ત્યારથી આચાર્યો આથી એ રાજાઓના ધાર્મિક સંસ્કારોની ક્રિયા પણ કરતા હતા. કેટલાકનો એ મત પણ છે કે ત્યવાસી જૈનાચાર્યો રાજાના ધાર્મિક પુરોહિતેનું ધાર્મિક કાર્ય કરતા હતા તેથી જેનેના જેને વેદના પ્રચારથી રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ પ્રવર્તતો હતો. આથી ચાવડાઓનાં શાસનમાં વૈદિક સંપ્રદાયનું વર્ચસ્વ નહિવત જેવું જ રહ્યું. જેને વેદ, ઉપનિષદ દ્વારા જૈન બ્રાહ્મણે ધાર્મિક પ્રવૃત્તિ કરીને જેનધર્મની આરાધના કરતા હતા. ૮૮. મદન જિણાણમની ઉપદેશ કલ્પવલ્લિની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે આગમ અને નિગમે એ બન્નેને ભેગાં કર્યા વિના જૈનતત્ત્વોનું સમાધાન થાય નહિ. જેનાગ અને જેનનિગમો એ બન્ને દ્વારા જૈનધર્મ વિશ્વમાં પ્રવર્તી શકે છે. ભરત રાજાએ જેનનિગમ પ્રવર્તાવ્યાં હતાં, તે સર્વ તીર્થકરોના સમયમાં કાયમ હતાં, અને તે પ્રમાણે સોળ સંસ્કારો વગેરેની ક્રિયા પણ થતી હતી. દરેક તીર્થકરોના સમયમાં જેનાગમ નવાં હતાં. અર્થાત દ્વાદશાંગી જુદી રચાતી હતી. મહાવીર પ્રભુના સમયમાં જેનનિગમ -જેનવેદ અને ઉપનિષદ કાયમ રહ્યાં હતાં. ચિત્યવાસીઓનાં વર્ચસ્વ દરમિયાન જેનવેદે અને જેનઉપનિપદે લેકામાં ખૂબ જ પ્રચલિત રહ્યાં. ચિત્યવાસીઓનું પ્રભુત્વ હટતાં પણ તેમાંથી નિગમ પ્રભાવકગચ્છ તરીકે એક ગ૭ કાયમ રહી. ૯૯. ચિત્યવાસીઓમાં પણ અનેક મહાન આચાર્યો થઈ ગયા છે, જેમણે શાસનની સારી સેવા કરી છે. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય. ગોવિંદાચાર્ય, શાન્તાચાર્ય, વીરાચાર્ય વગેરેનું ચરિત્ર તપાસીએ તે સ્પષ્ટ થાય છે કે, તેઓ વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, અનેકાંતના યથાર્થ વ્યવસ્થાપક, વિવેકી, પરસ્પર સ્નેહભાવ દર્શાવનાર અને ધર્મરક્ષામાં સદા ઉદ્યમશીલ હતા. ઉત્સવ હોય, યાત્રા હોય કે પ્રતિષ્ઠા હોય તે સૌ મળીને ધર્મભાવના કરતા હતા. તેઓમાં આચારશુદ્ધિ હતી, વિચારશુદ્ધિ પણ રહેતી; એક માત્ર વ્યવહાર શુદિ ન હતીએટલે કે તેઓ શિથિલ હતા. એ તેમની મોટી ઉણપ હતી, જેને દૂર કરવાની અનિવાર્ય આવશ્યક્તા હતી. ૧૦૦. ચિત્યવાસી યુગનું ઉલ્લેખનીય લક્ષણ એ ગણાય છે કે એ સમયમાં આયતન – અનાયતનને ભેદ, વિધિત્ય-અવિધિચત્યને ભેદ, પિસહ માટે પર્વ–અપર્વને ભેદ, સામાયિક માટે સંધ્યા-અસંખાને ભેદ, આરાધના માટે શાસન દેવ-દેવીને ભેદ, જિનપૂજામાં પુરુષ–સ્ત્રીને ભેદ, કન્યા પરણવા માટે સ્વચ્છ -પરગર છને ભેદ, ચોથ–પાંચમ કે ચૌદશ-પૂનમન ભેદ ઈત્યાદિ ભેદનીતિ જોવા મળતી નથી. એ પુગનું સૌથી વધારે પ્રશસ્ય લક્ષણ એ જ છે. એ પછીની ગ૭સૃષ્ટિમાં ઉકતભેદોને પણ મળ્યું અને એ ભેદવિહીન યુગને સૂર્ય સદાને માટે આથમી ગયો. - ૧૦૧. ચિત્યવાસીઓ શિથિલાચારી હતા. છતાં એમનામાં અમુક ઉચ્ચ ગુણે જળવાયા હતા એ આપણે જોયું. એમના ઉચ્ચ ગુણોનું અનુસરણ કરવામાં સંવેગી પક્ષેએ આનાકાની કરી નથી એ પણ નોંધનીય છે. શતપદીમાં આપણને જણાવવામાં આવે છે કે અભયદેવસૂરિ જેવા સમર્થ આચાર્યો પણ ચિત્યવાસીઓની નિંદા કરી નથી, એટલું જ નહી પરંતુ ત્યવાસી દ્રોણાચાર્ય પાસે પોતાના ગ્રંથોનું સંશોધન પણ કરાવ્યું છે. વર્ધમાનસૂરિ પહેલાં ચિત્યવાસી હતા. તેમણે ચર્યાશી ચૈત્યોની માલીકી છોડી ત્યારે Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy