SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિગ્દર્શન દે આચારિજ મણહસ, ઉવઝઝાય સત્તતહ, મહાર; થાપિય દસ સિરિ પદવસ, ઈયાલઈ સુરગિ ગયા ગુરુ. જયકેસરીસૂરિના શિષ્યો અને તેમનાં કાર્યો વિશે જાણવું પણ જરૂરી છે. કીર્તિવલ્લભ ગણિ ૧૧૮૫. જયકેસરીરિના શિબ કાર્તિવલ્લભગણિ ઉપદેશક તેમજ લેખક થઈ ગયા. નાતાસૂત્રની પ્રત પુષિકામાંથી જાણી શકાય છે કે-ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે પોરવાડ વંશમાં પુરુષ અને પદભાઈના પુત્ર વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ ગયા, જેની પત્નીનું નામ મણ અને પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ, ૪ સિંધા (3) હતાં. પૌષધ વિગેરે ધર્મો કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ ગૃહસ્થ, જયકેસરીરિના શિષ્ય કીતિવલ્લભણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વર્ધમાન શેઠે ભુજથી ઉપાજિત કરેલાં દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રો લખાવ્યાં હતાં. એ જેનાગમનાં લેખનને આરંભ ચંપકદુર્ગ-ચાંપાનેરમાં સં. ૧૫૬૭ માં થયો હતો. જુઓ ૫. લાલચંદ્ર ગાંધી કત “તેજપાલને વિજય” પૃ. ૨૪. ૧૧૮૬. કીર્તિવલ્લભગણિએ સં. ૧૫૫૨ માં સિદ્ધાંતસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર પૂર્વાચાર્યોએ રચેલ દીપિકા આદિ વૃત્તિઓને અનુસરી સ્પષ્ટ વ્યાકરણની ઉક્તિવાળી વૃત્તિ રચી અમદાવાદમાં દીપોત્સવીને દિવસે પૂર્ણ કરી. આ સંસ્કૃત ટીકા ૮૨૬૫ શ્લોક પરિમાણની છે. પ્રશસ્તિ માટે જુઓ પ્રો. પિટર્સનને સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સન ૧૮૮૬-૯૨, નં. ૧૧૮૭. ગ્રંથકર્તા પોતાના ગુરુ અને ગ્રંથ રચના વિશે જણાવે છે કે तच्छिष्यो ननु कीतिवल्लभगणिर्मुग्धाग्रणी मोहतो । ___ स्पष्टव्याकरणोक्तिवृत्तिमलिखन्मुग्धप्रबोधप्रदाम् । पूर्वनिर्मितदीपिकिादिकमहाग्रंथानुसारी स्वक કwવેન [નત g] ની વહુગુ ઇત્તરઃ પુનઃ | संवत्पंचदशे द्विपंचगणिते वर्षे च हर्षप्रदे सु श्री अहमदवादनाम्नि नगरे दीपोत्सवे निर्मिता ॥ મહીસાગર ઉપાધ્યાય ૧૧૯૭. જયકેસરીરિના શિખ્ય મહીસાગર ઉપાધ્યાયે સં. ૧૪૯૮ માં “વડાવશ્યકવિવિ” નામને ૨૩૭૫ લેક પરિમાણ ગ્રંથ ગુજરાતીમાં લખે. પ્ર. વેલણકર “જિનરકેશ માં નોંધે છે તેમ, બાલાવબેધ સંક્ષેપાર્થ, ચૈત્યવંદનસૂત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ, સાધુ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનસૂત્ર ઈત્યાદિ આ ગ્રંથનાં અપરનામો છે. મોહનલાલ દલીચંદ દેશાઈ કેસરીમૂરિના શિષ્ય મહિમાસાગર ઉપાધ્યાયને “પડાવશ્યક વિવરણ સંક્ષેપાર્થ' જે.ગુ.ક.ભા.૩.પૃ.૧૫૯૧માં ઉલ્લેખ કરે છે, તે આ ગ્રંથ કર્તા સંભવે છે. મહામેરુગણિ ૧૧૯૮. મેçગરિ કૃત જૈન મેઘદૂત મહાકાવ્ય પર મહમેગણિએ ટીકા રચી છે. ૧૪૪ શ્લેક પરિમાણની આ સંસ્કૃત ટીકા સં. ૧૫૪૬ માં રચાઈ છે. તદુપરાંત ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઇતિહાસભા. ૨, પૃ. ૫૩૦ માં નેધે છે તેમ, મહમેમ્મણિએ “ક્રિયા ગુપ્ત', “જિનસ્તુતિ પંચાશિકા' કલ્પસૂત્રાવરિ' આદિ ગ્રંથ પણ રચ્યા છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy