SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ = શ્રી મેસતુંગસૂરિ ૨૩૩ જેમણે ક્રિોદ્ધાર કર્યો હતો—તેઓ સં. ૧૪૭૩ માં પોતાની પાટે જ્યકીર્તિસૂરિને બેસાડીને જૂનાગઢમાં સ્વર્ગવાસ પામ્યા. ૧૦૧૨. આપણે જોયું કે મુનિ લાખા “ગુપટ્ટાવલી માં મેરૂંગરિ સં. ૧૪૭ વર્ષે ખંભાતમાં ૬૮ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા હોવાનું નોંધે છે. કવિવર કાર “ગચ્છનાયક ગુરરાસમાં મૃત્યુ સ્થળ તરીકે પાટણનું નામ આપે છે, અને વર્ગગમન વર્ષ સં. ૧૪૭૧ જણાવે છે વિક્રમ ચઉદ એકે ઉતરાઈએ, પાણિ પયડ પ્રસિદ્ધ, સરગ ભૂમિંયણ અલકિઉએ, અરિજિ કીધીય દિન વૃદ્ધિ. પારિ બઠા પ્રભુ તણુઈ એ, શ્રી જયકરતિ મુરિ, વનિસ વિવ જિણિ વાઉએ, તિહુયણ કિરિ કપૂરિ. ૧૦૩ ઉપર્યુક્ત પ્રમાણમાં ડુંગરિનાં મૃત્યુનાં વર્ષ તેમજ સ્થળ વિષે મતભેદ છે. સં. ૧૪૭૦, ૭૧ અને ૭૩, તેમજ ખંભાત, જૂનાગઢ અને પાટણ એ ત્રણે સ્થળો વચ્ચે નિર્ણય કરવા માટે મેરૂતુંગરિરાસ સૌથી પ્રમાણભૂત અને વિશ્વસનીય ગ્રંથ છે, કેમકે મેતૃગરિના કોઈ અજ્ઞાત અંતેવાસી શિષ્ય એમને સ્વર્ગગમન બાદ થોડા જ સમયમાં એની રચના કરી છે. રાસકાર સ્પષ્ટ રીતે નોંધે છે કે સં. ૧૪૭૧ માં એડંગસૂરિ પાટણ પધાર્યા. પિતાનું આયુ શેષ જાણીને અનશન આરાધના પૂર્વક તેઓ સં. ૧૪૭૧ ના માગશરની પૂર્ણિમા ને સોમવારના પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયન શ્રવણ કરતાંઅહંત-સિદ્ધનું ધ્યાન ધરતાં નશ્વર દેહ છોડી ગયા જાણી આઉ રવઉ વગેસ તેડાવ્યા તઉ ગઇ અસેસ આણંદિઈ બોલવિયા એ, અરિહંત સાફિખય કરિ આલેયણ તિગરણ સુદ્ધિ આરહણ જીવ સેવે ખમાવીયા. અણસણ ઉચ્ચરિઉં આપણું મુખિં પરમ ધ્યાન લાગઉં છઈમન લખિ સુખ સંતોષ સમાપિર, લક્ષચંખ જણ ઊલટિ આવઈ રાસ ભાસ રસિ ભાવણ ભાવઈ કલહર કરતા નર નારિ. ૪ ઈહત્તરઈ મગસિરિ પુનિમ સોમવાર દિગિ પર સપ૭િમ ઉત્તરઝયણ સુસંભલીય. અરિહંત સિદ્ધ તણઉ ધરિ ઝીણું તફખણિ પામિય સુખ નિવ્વાણ જિમ કિરિ કહિઈ કેવલિય. ૧૧૪. રાસકારનાં વર્ણન અનુસાર લગભગ સમગ્ર પશ્ચિમ ભારતના બધા જ મુખ્ય કેન્દ્રોમાં અપ્રતિહત વિચરી, શાસનોન્નતિનાં ઘણાં જ કાર્યો કરી, અનેક જીવોને ધર્મ પમાડી મેરતુંગરિ અણહિલપુર પાટણમાં પધાર્યા. સંઘે એમનું ઉત્સાહપૂર્વક વાગત કર્યું. એમના આગમનથી સંધમાં ધર્મભાવનાને ઉમળકો આવ્યા. મેજીંગસૂરિએ પિતાનું આયુ શેષ જાણીને પોતાના શિયોને પાટણ તેડાવ્યા, અરિહંત ભગવાનનાં સાનિધ્યમાં આલેયાપુર્વક ત્રિવિધ સર્વ ને ખમાવ્યા અને પોતાનાં મુખથી અણુસણુવ્રત ઉચ્ચાયું. એ પછી તેઓ પરમ ધ્યાનમાં લીન થઈ ગયા. તેમના મુખ પર સુખ અને સંતોષ છવાયાં હતાં. સમાચાર સાંભળતાં જ લાખેકની સંખ્યામાં એમના ભક્તજનો ઉમટી આવ્યા અને રાસ, ભાસ આદિ ભાવના રસપૂર્વક ભાવવા લાગ્યા. એ દિવસે ગુરુએ ચાર વખત વ્યાખ્યાન આપ્યું, જે સાંભળી બધાનાં હદય દ્રવી ઉઠ્યાં. લોકોએ વન, પચ્ચખાણાદિ ગુરુ મુખે ગ્રહણ કર્યા'. સં. ૧૭૧ ના માગશરની પૂર્ણિમા ને સોમવારના દિવસે પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયનસૂત્રનું શ્રવણ કરતાં, અરિહંત અને સિંહનું ધ્યાન ધરીને કેવલીની જેમ મેતુંગરિ પાટણમાં નિર્વાણ પામ્યા. એમનાં પરલોકગમનથી લોકો શેકમમ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy