SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેજીંગસૂરિ તમારા પેડે બહુ ધન ખર્ચી, તિણે બહુ દાન દીધ: જિન શાસનમાં અંચલગચ્છને, મહિમા અધકો કીધ. તુંગરિએ રચિઓ, નેહ ના અધિકાર; મહાદાનથી અહીં ગવાયા, જે જમદાતાર. ૯૩૪. રાજકારના ઉક્ત વનદારા જ શી શકાય છે કે જે સાઇએ મંગતુંગરિના ઉપદેશથી ઉમર કેટમાં સુવિશાલ જિનપ્રાસાદ બંધાપો હતોજેસાઇએ દાનને વાધ વહાવ્યો હાઈ ને ને “જગદાતારનાં બિરુદથી સુપ્રસિદ્ધ થશે. એમનાં સુકૃત્યોથી જિનશાસનમાં અંચલગચ્છનો મહિમા વિસ્તાર પામે. આવા બડભાગી શ્રાવકના જીવન વિશે બે સુંગરિએ “જેસાઇ પ્રબંધ” પણ રજા હો એમ પં. હી. હે. લાલનને અભિપ્રેત છે. ૯૩૫. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલામાં વિશેષ જણાવવામાં આવ્યું છે કે જેસાજીની વિનંતીથી તુંગરિ ઉમરકોટમાં ચાતુર્માસ રહેલા. આચાર્યના ઉપદેશથી જેસાઇએ કર દેવકુલિકાયુક્ત શ્રી શાંતિનાથ પ્રભુને વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યા તથા ચાતુર્માસ બાદ શત્રુંજય આદિ તીર્થના માટે તીર્થસંઘે પણ કાયા. અને ધર્મકાર્યોમાં ૩૩ લાખ સોનામહોરે વાપરી. તુંગરિએ “જેસાઇ પ્રબંધ' માં એ મહા દાનેશ્વરીનાં દાનાદિ મુકૃત્યોનું વિરતારપુર્વક વર્ણન કર્યું છે. ૯૬. અનુકૃતિનો આધાર લઈ ને હી. હું. લાલન “જૈન ગોત્રસંગ્રહ”માં જણાવે છે કે લાલણ વંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના વરજાંગ તથા જેસાઇએ પાખીને દિવસે આઠ પહેરને પિસહ કર્યો હતો. તે દિવસે સંધ્યાકાળે લાદેવી સ્ત્રીનું ૩૫ કરીને તથા વેત વસ્ત્રો પહેરીને તેને ઘેર આવી અને જેસાઇની પત્ની પાસે રાતવાસો રહેવા વિનંતિ કરી. દેસાઇની પત્નીએ ઘણાં આદરમાનપૂર્વક તેણીના પગે ઈ ઘરમાં બિછાના પર સુવાડી. પ્રભાને જેસાઇ પિસહ કરી ઘેર આવ્યા. દેવપૂજા તથા ગુરુભક્તિ કરી પારણું કરવા બેઠા, ત્યારે તેની પત્નીએ એ સ્ત્રીની વાત કરી અને જણાવ્યું કે તે હજી ઉક્યાં નથી લાગતા; માટે તેને પણ ઉઠાડીને જમાડવા જોઈએ. જે ઓરડામાં તે સ્ત્રીને સુવાડી હતી ત્યાં જોયું તો તે જણાઈ નહીં. એટલે સૌને આશ્ચર્ય થયું. રાત્રિએ લક્ષ્મીદેવીએ સાજીને સ્વપ્નમાં કહ્યું કેતારા પુર્યાધી અંચાઈને હું આજથી તારે ઘેર રહી છું. તારી પત્નીએ મને ઘણું આદરમાન દીધું છે.' એ પ્રસંગ પછી જેસાઇનાં ઘરમાં ઘણું દ્રવ્ય થયું, અને ધર્મકાર્યોમાં ખરચ્યું પણ ઘણું. જેસાઇએ ગુજરાતમાં આવી પાટણ, અમદાવાદ, ખંભાત, વીરમગામ આદિ નગરોમાં, તથા ચિત્તોડ, નાગોર, જોધપુર, સીદી, નાલાઈ, જેસલર, બાબર, કોટડા, અમરકોટ, પારકર, આચાર, ભિન્નમાલ આદિ મારવાડ અને મેવાડના બધા સંઘમાં ખાંડની તથા તે તે પ્રદેશના ચલણી સિક્કાઓની લાણી કરી. ઉમરકોટમાં શિખરબંધ જિનાલય બંધાવ્યું તથા ચતુર્વિધ સંઘની ઘણી ભક્તિ કરી. તેમણે પીલુડામાં પણ જિનમંદિર બંધાવ્યું હતું. આ રીતે જેસાઇ અંચલગચ્છમાં ઘણું જ પ્રભાવક શ્રાવક થયા છે. એમણે વહાવેલ દાનને અપૂર્વ પ્રદાહ સમગ્ર પશ્ચિમ ભારતને જ સ્પર્શી ગયો અને જનતિમાં તેમનું બિરુદ “જેસો જગદાતાર આજ દિવસ સુધી ગવાતું રહ્યું. ૯૩૭. ધર્મમનિયુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી, “ કલ્યાણસાગરસૂરિ રાસ, ” “વધમાનપદ્રસિંહ શ્રી ચરિત્ર ઇત્યાદિ ગ્રંથેની ઘણી બાબતો શંકિત છે. હી. હં. લાલન કૃત “જૈન ગોત્ર સંગ્રહ 'પણ સંશોધનીય છે. “મે—ગરિને રાસ' મેતુંગરિનાં જીવન વિશે સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે, જેમાં Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy