SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અંચલગચ્છ દિગ્દર્શન તસ ઘરણિ નાલૂઆ અરિ સરે મા, અવતરઉ રાય હસુ; ચઉદ ત્રિડોતરાઈ જાયઉ એ મા, પ્રાગુવંસિ અવતંસુ. ૯૫ ચારિતુ ચઉદ દહેતરઈ એ મા, નારણીય નયર માઝારિ, છવ્વીસઈ અણહિલપુરે મા, વિઉ સૂરિપઈ ભારિ. ૯૬ કવિવર કાન્તના જણાવ્યા પ્રમાણે બાળકને સં. ૧૪૧૦ માં નાણી ગામમાં દીક્ષા આપવામાં આવી તથા સં. ૧૪૨૬ માં અણહિલ્લપુર પાટણમાં તેમને સૂરિપદ આપવામાં આવ્યું. આ પ્રમાણથી સ્થળ અંગે પણ સ્પષ્ટતા થાય છે. ૮૫. મુનિ લાખા “ગુરુપટ્ટાવલી માં મેતુંગરિના જીવનવિષયક આ પ્રમાણે નોંધ આપે છે : इग्यारमा गच्छनायक पदे श्री मेरुतुंगसूरि । नाणी ग्रामे। श्रेष्ठि वइरसीह पिता। नाल्हणदे माता । संवत् १४०३ वर्षे जन्म । संवत् १४१० दीक्षा । संवत् १४२६ सूरिपद । संवत् १४४५ गच्छनायकपदं । पत्ने । संवत् १४७१ वर्षे निर्वाण स्तंभतीर्थे વર્ષ ૬૮ II ૮૯૬. પાશ્ચાત્ય વિદ્વાનોની ને પણ અહીં ઉલ્લેખનીય છે. ડે. કલાટ નોંધે છે : Merutunga-suri, Son of Vora Vairasinha in Nani-grama, and of Nahunade, born Samvat 1403, diksa 1418, acharya 1426 in Sala, gachchha-nayaka in 1446 in the same place, + 1471 at the age of છે. લાટ એમના ગ્રં વિશે અને એમના શિષ્યોએ રચેલા ગ્રંથો વિશે વિસ્તૃત નોંધ કરે છે, જે આપણે પાછળથી નાંધવું. ૮૯૭. ડે. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯ર ની પ્રસ્તાવનામાં મેતુંગસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે: Merutunga-Mentioned as pupil of Mahendra prabha and guru of Jayakirti in the Anchala-cachchha. 3, App. p. 220. Author of the Surimantrakalpasaroddhara 3, App. p. 364. Author of a commentary on the Meghaduta. 3, App. p. 248. In the Anchala-gachchha patta vali the dates for this teacher are given as follows:-Birth Samvat 1403; diksha, Samvat 1418, acharyapada, Samvat 1426; gachchhanayaka, Samvat 1446; death, Samvat 1471. Compare Weber, I p. 297 Guru of Manikyachandrasuri. 1, p. 123 (No. 262). ૮૮૮. ઉક્ત બને પાશ્ચાત્ય વિદ્વાનોનાં કથન સંશોધનીય છે. ડે. કલાટ તેમજ ડૉ. પિટસને ઉક્ત નેંધ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે કરી છે તે સ્પષ્ટ છે. ભીમશી માણેકે પદાવલીમાં નોંધ્યું કે મેતંગરિ ૧૪૨૬ ની સાલમાં આચાર્યપદ પામ્યા અને ૧૪૪૬ ની સાલમાં ગચ્છનાયકપદ પામ્યા. પ્રાદેશિક ભાષાના અપરિચયને લીધે છે. લાટે સાલને નગર માની લઈ ઉક્ત ભૂલ કરી દીધી. ભીમશી માણેકને સં. ૧૪૧૮ માં મેનુંગસૂરિની દીક્ષાનું વર્ષ અભિપ્રેત હોઈને ઉક્ત ઉભય પાશ્ચાત્ય વિદ્વાનોને એમનાં કથનને હવાલો આપવો પડ્યો છે. મોહનલાલ દલીચંદ દેશાઈ, બુદ્ધિસાગરસૂરિ કે ત્રિપુટી મહારાજને પણ આવી જ ભ્રાંતિમાં દોરાવું પડ્યું છે. હકીકતમાં મેતુંગસૂરિને સં. ૧૪૧૦ માં દીક્ષા પ્રદાન થઈ, અને સં. ૧૪૨૬ માં પાટણમાં એમને આચાર્યપદ પ્રાપ્ત થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy