SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રભસૂરિ ૧૯૭ ૮૮૪. કવિવર કાન, “ગચ્છનાયક ગુમ રાસમાં નોંધે છે કે મહેન્દ્રપ્રભસૂરિ સં. ૧૮૮૪ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં સ્વર્ગ ગયા :– ગુદિરિમ ગુણિ મયર હર જિમ, મહિમા ગુણિ હિમવંત; સિરિ માહિંદપલ મુરિ ગુર, મહિમંડલિ જયવંત. ૯. અહલ વાઈ વર રે, ચઉદ ચëઆલી જાણિ; કાનિય સુદિ તિથિ તેરસિદ્ધિ પુલતક ગુરુ નિરવાણિ. ૯૨. ૮૮૫. કોઈ અજ્ઞાત-કતૃક “મેÚગરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે પાટણમાં સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ ગચ્છનાયક પદ આપી ગધુરા મેતુંગસૂરિને સમર્પિત કરી : કારાવઈ પણયલઈ વાસરિ, ફાગુણ વદિ ઈગ્યાસિ વારિ, શ્રી મરિંદ્રપ્રભસૂરે પાટણિ પયડ ગઇ નાયક; થપ્પીય ગઈ ભાર ઘલુ તવ અપાય ગુરુ શ્રી મેડુંગરે. ૫. ૮૮. ઉક્ત પ્રમાણે દ્વારા એટલું તો સિદ્ધ થાય છે કે મહેન્દ્રપ્રભસૂરિ શત્રુંજય પર નહીં, કિન્તુ પાટણમાં જ કાલધર્મ પામ્યા હતા. એમનાં મૃત્યુનાં વર્ષ માટે થે મતભેદ જણાય છે, પરંતુ બારીકાઈથી વિચારતાં એ અંગે પણ નિર્ણય થઈ શકે એમ છે. કવિવર કાન મહેન્દ્રપ્રભસૂરિનું મૃત્યુ સં. ૧૪૪૪ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે થયું હોવાનું માને છે તે વધારે સવીકાર્ય છે. મુનિ લાખા પણ એ જ વર્ષ વીકારે છે. ડો. પિટર્સન, ડે. કલાટ, મો. દ. દેસાઈ, ભીમશી માણેક, બુદ્ધિસાગરજી આદિ સાંપ્રત ગ્રંથકારોને પણ એ જ વર્ષ અભિપ્રેત છે. અન્ય પ્રાચીન ઉલેદાર પણ એ જ વર્ષનું સૂચન મળે છે, તો પછી ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં તેમ જ અજ્ઞાતકતૃક “મેરાનું સૂરિ રાસ માં ૧૪૫નું વર્ષ કેમ છે ? પેતુંગમૂરિ રાસ માં તો જણાવાયું છે કે સં. ૧૮૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ તુંગરિને ગચ્છનાયક પદ આપ્યું. મારવાડી વર્ષ પ્રમાણે સં. ૧૪૪૮ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે સં. ૧૪૪૫ ની સાલ જ ગણાય. “મેરતુંગરિ રાસ ના કર્તાએ મારવાડી વર્ષ ગયું હોય અને ભાવસાગરસૂરિએ એ કૃતિને આધાર લીધો હોય એ તદન શકય વાત છે. એ પ્રમાણે સં. ૧૪૪૪ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરે પાટણમાં કાલધર્મ પાળ્યા હોય અને સં. ૧૮૪૪ ના ફાગણ વદ ૧૧ ને દિવસે મેરૂતુંગસૂરિ ગચ્છનાયક પદે અભિષિક્ત થયા હોય, જે વખતે પૂરોગામી પધરની વિદ્યમાનતા ન જ હોય. કેમકે એક જ સમયે બે ગચ્છનાયકેની વિદ્યમાનતા અસ્વીકાર્ય જ છે. આ બધી રીતે મહેન્દ્રપ્રભસૂરિ સં.૧૪૪૪ ના કાર્તિક સુદી ૧૩ને દિવસે પાટણમાં સ્વર્ગે ગયા હોય એ વધારે સવીકાર્ય કરે છે. ૮૮૭. મહેન્દ્રપ્રભયુરિની પટ્ટધર તરીકેની કારકિર્દી ખરેખર, ઉજજવળ છે. એમના ગુણોની પ્રશંસા કરતા કવિઓ થાકતા નથી. એક કવિએ તો મહેન્દ્રપ્રભસૂરિના જેવા કેઈ ન થઈ ગયા હોવાનું પણ કહ્યું સર્વે વહંતુ ગર્ધ્વ, કુણંતુ પરંતુ પઢમં જે, પણ તૃહ મહિંદસૂરિ સાસભુવિણુમિ ણ કવિ ગુણ. ૮૮૮. કવીશ્વર જયશેખરસૂરિએ “ઉપદેશ ચિન્તામણિ'ની ગ્રંથ-પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિની વિદ્યમાનતામાં જ એમને “પટરૂપી નંદનવનમાં ક૯પવૃક્ષ સમાન' કહ્યા. જયશેખરસૂરિ કહે છે કે વિદ્વાન એમના હાથને લક્ષ્મી તથા સરસ્વતીની મૈત્રી કરાવવાનું તીર્થ કહે છે. જો એમ ન હોય તો તેમના કર સ્પર્શથી વિનયવંત પુરુષ લક્ષ્મીવાન અને બુદ્ધિમાન ક્યાંથી હોય? જે આચાર્યની કીર્તિના ભારથી જગતને ઉજજવળ કરવામાં એ કોઈ પણ ન હતો કે જે ત્રાહિત અંધકારને આશ્રય આપે. પરંતુ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy