SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ ૮૫. પઢાવલી ભાષાંતર ૫, ૨૨૨ માં મહેન્દ્રભરિના કપડાથી થયેલી પ્રતિકાઓમાં સં. ૧૪૧૧ અને ૧૯૩૫ ની પ્રતિષ્ઠાઓની નોંધ પણ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સં૧૮૨૨ માં અચવાડી ગામમાં ડરિયાગોત્રી, પદ્મસિંહ શાહે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ની પ્રતિષ્ઠા કરાવેલ છે. સં. ૧૪૩૫ માં ઉક્ત પધસિંહશાહે વીડીવાડીઆ ગામમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. પદ્મસિંહળાહન વંશ સં. ૧૮૩૯ થી વડીવાડીઆની ઓડકથી ઓળખાય છે. ૮ ક. ઉકેલવંશીય જાએ પોતાના કાકા કાકી સોમાભાગલના છેવાર્થે સં. ૧૪૧૮ ના ફાગણ વદિ ૨ બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. सं० १४ (०) १८ वर्ष फागुण वदि २ वुध्धे ऊकेश ज्ञातीय आंचलगच्छे व्य० सोमा भा० मागल श्रेयोर्थ भ्रातृ सु० जांणाकेन श्री शान्तिनाबिंब कारितं प्रतिष्टितं श्री सूरिभिः । ૮૭. ઉકેલાવંશીય વડેરા ગોત્રીય સાધુ કે પિતાના માતા પિતા હરપાલ–નાકદના શ્રેયાર્થે સં. ૨૪૮૧ ના ફાગણ સુદી ૧૦ ને શ્રી આદિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. सं० १४४१ वर्षे फागुण सुदि १० सोमे श्री आंच० श्री उकेश वंशे वहडरा साधु कर्मण सुत साधु हरपाल भार्या सा० नाइकदे सुतेन साधु केलहणेन । पितृमातृ श्रेयार्थ श्री आदिनाथविवं कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।। શિષ્ય પરિવાર ૮૧૮. આપણે ઉલ્લેખ કરી ગયા કે મહેન્દ્રપ્રભારિના પાંચસો શિવ્યા હતા. એમાં આચાર્યોની સંખ્યા પણ સારી હતી. તેમણે પોતાના છ શિવે (1) ધર્મતિલક્યુરિ (૨) સમતિલકસૂરિ (૩) મુનિશેખરસુરિ (૪) મુનિચંદ્રસુરિ (૫) અભયતિલકરિ (૬) જયશેખરસૂરિને સં. ૧૪૨માં એકી સાથે પોટ માં સૂરિપદ પ્રદાન કરેલું એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. મેરૂતુંગસૂરિ પ્રભૂતિ અન્ય શિષ્યોને પણ એમણે પદથિત કરેલા. રંગરત્નસૂરિ તદુપરાંત, એમના સમુદાયમાં અભયદેવસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા, જેમના ઉપદેશથી શ્રી ગોડી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાણી. ગોડી પાર્શ્વનાથ તીર્થની ઉત્પત્તિ વિશે પાછળથી વિચારણા કરીશું. તુંગરિ મહેન્દ્રપ્રભસૂરિના અનુગાની પટ્ટધર હોઈને તેમને વિષે પછીના પ્રકરણમાં સવિસ્તારથી ઉલેખ કરીશું. મુનિશેખરસૂરિ ૮૧૯. મુનિશેખરસૂરિ વિશે વધારે માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. એવા ઉલ્લેખ મળે છે કે એમના પરિવારમાં શેખર શાખાના આચાર્યો થયા છે. જયશેખરસૂરિ “ધમિલચરિત "ની પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિણોમાં મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ અને મેતુંગમૂરિનાં નામો આપે છે. ઉપદેશચિંતામણુની પ્રશસ્તિમાં પણ એ પ્રમાણે જ નામો આપીને જયશેખરસુરિ પિતાને વચટ શિષ્ય તરીકે ઓળખાવે છે : તેવુ હિષ્ય છુ મધ્યમોદૃા આપણે જોઈ ગયા કે સં. ૧૪૨૦ના આષાઢ સુદી ૫ ને દિવસે અણહિલપુરમાં એમને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. જયશેખરસૂરિ ઉક્ત પ્રશસ્તિમાં એમને નથતિ નું વિશેષણ પણ આપે છે. આ પરથી મુનિશેખરસૂરિની વિદ્વત્તાનું માપ પણ કાઢી શકાય એમ છે. જયશેખરસૂરિ જેવા મહાકવિએ મુનિશેખરસૂરિનું નામ એમના ગ્રંથની પ્રશસ્તિઓમાં ઘણી જગ્યાએ બેંધ્યું હોઈને મહેન્દ્રપ્રભસૂરિના એ વડિલ શિષ્યનો સમુદાય પર પ્રભાવ સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે. ૨૦. પટ્ટધર થયા પછી સં. ૧૪૪૯ માં મેરૂતુંગસૂરિએ સપ્તતિભાથની ટીકા રચી તેમાં પણ તેમણે તેમના વડિલ ગુરુબંધુ મુનિશેખરસૂરિના નામને ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે એ ટીકા રચવા માટે મુનિશેખરસૂરિએ એમને ઉત્તેજન આપેલું. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy