SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ ૧૭૫ ૭૮૫. મહેન્દ્રપ્રભસૂરિના શિયસમુદાય વિષે પણ ઉલ્લેખ પ્રસ્તુત છે. પંદરમી શતાબ્દી સુધીની કેટલાક ગની આચાર્ય પરંપરા સંબંધી ઐતિહાસિક નંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : ધવ૮૪ -આર્યતઘર, fહતિદ્રવૃત્તિ, રકમ, તો જન્નરોમતિ, મહતુપૂરિા જુઓ અગરચંદ નાહટાને “જૈન શ્રમણો કે ગબ્બો પર સંક્ષિપ્ત પ્રકાશ” નામને લેખ. આમાં કહેલાં છેલ્લાં ચારે નામ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય સમુદાયના છે. ચન્દ્રપ્રભ, સોમચંદ્ર, સોમતિલકના નામો કવિવર કાહ રચિત “ ગચ્છનાયક ગુરુરાસ માં પણ છે. આર્ય રક્ષિતરિક સિંહતિલકઝુરિ અને મેરૂતુંગમૂરિ એ પટ્ટધરોનાં નામે છે. ૧૮૬. મહેન્દ્રપ્રભસૂરિએ સં. ૧૪૨ ૦ ના આગાઢ સુદ ૫ ને દિવસે અણહિલપુર પાટણમાં પિતાના છ શિષ્યને આચાર્યપદ સ્થિત કર્યા હોવાનો ઉલ્લેખ કવિવર કા રચિત “ગચ્છનાયક ગુરુ રાસમાંથી આ પ્રમાણે મળે છે – દેસિ ગૂજરિ, દેસિ ગૂજરિ ગુહિરિ ગંભીરિ, અણહિલપુરિવરનયરિ, રિસહનાહ જિણ ભુણિ સુંદરિ, છગ્ય થમ્પિય આયરિય સિરિ, મહેદપ સરિ કુંજરિ. તિણિ દિણિ દિસી દિસી હરિસ વસિ મિલિઉ. ચહુવિહુ સંધ જગત વીતઉ, આઠ દિણ કીધઉ ઉતરવુ રંગુ. સંવત ચઉદ વિસોત્તર વરિસિ આસાઈ સુદિ પાંચમિ દિવસે સયલ ગ૭ આણંદ રસે, વૃહરિ હિં પદડવાણું કીધઉં એ કાજ હેલાં સીધઉં મુહુ ગુરુ પાય પસાય વસે. ધર્મોતિલકસૂરિ પહેમુ ગણિજઈ, સોમતિલકસૂરિ સયુણિજઈ, સિરિ મુનિશેખરસૂરિ ગુરુ સિરિ મુનિચંદસરિ જગ સારો, અભયતિલકસૂરિ સુવિચાર, સિરિ જયશેખરસૂરિ વીર. જિમ મય ગલ રેવા જલિ ખેલ, સેરહા જિમ વાલિહિ વેલિઈ જિમ મયર અરવિંદ રહઈ, જિમ ગયણું ગણિ ગેહ ગણ સેહઈ. ૭૯૭. ઉક્ત પ્રમાણથી સિદ્ધ થાય છે કે ઉકત સમયે અણહિલપુરમાં (૧) ધમંતિલકસૂરિ (૨) સેમતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ એ છ શિષ્યોને મહેન્દ્રપ્રભસૂરિએ એકી સાથે રિપદ પ્રદાન કર્યું. એ પ્રસંગે વોહરાએ અષ્ઠાહ્નિકા મહોત્સવ કર્યો હતો, ઘણું સંઘે હર્ષપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય સમુદાયમાં ખૂબ જ સ્નેહભાવ અને એકતા વર્તતા હતાં એમ પણ ઉક્ત પ્રમાણથી પ્રતીત થાય છે. આ પ્રસંગ ખરેખર, અપૂર્વ ગણી શકાય. ગણવૃદ્ધિની સાથે સાથે ગચ્છનું ઐકય પ્રબળ કરવામાં મહેન્દ્રપ્રભસૂરિએ જે ભાગ ભજવ્યો હતો તે વાત આ ગચ્છના ઈતિહાસમાં કદિયે ભૂલી શકાય એમ નથી. એમનાં કાર્યની પૂર્તિ એમના સમર્થ શિષ્ય અને અનુગામી પદધર મેરૂતુંગમૂરિએ કરી અને આ ગચ્છની અણમોલ કારકિદમાં યશકલગી ઉમેરી. ખરેખર, આ ગુરુ-શિષ્યનો સમય આ ગચ્છનો તેજવંત યુગ હતો. તત્કાલીન સાહિત્ય પ્રવૃત્તિ, નૃપપ્રતિબોધ, તીર્થોત્પત્તિ ઇત્યાદિને વૃત્તાંત અભૂતપૂર્વ હતો. આ બધી સિદ્ધિના પાયામાં મહેન્દ્રપ્રભસૂરિએ પ્રસ્થાપિત કરેલી એકતા જ મુખ્યપણે હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy