SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિંહતિલકસૂરિ પણ નવએ પરલએ તો મિચ્છા તિમિર હર દિવસે, સરીસ મહિંદ'પહ ગણાતિવો જય જગ દો. ૫૭. કવિવર કાન્હ “ગછનાયક ગુરુ રાસમાં વિશેષમાં નોંધે છે : સરિ તેર એકતરે આઈચપુરવર કાણિ, અણહિલપુરિ ગુરુ ગધરે તેર તિનઈ જણિ. સિંહતિલસૂરિ વનિયએ નિસ્વમુ જાસ વખાણ, પણનઉઈ સિરિ ખંભપુરે જસ સુર લેઈ યાણ. ૫૮. સં. ૧૩૭ માં ધર્મપ્રભસૂરિએ એમને આચાર્યપદ પ્રદાન કર્યું". આચાર્યપદ સંવત અંગે બધાજ પ્રમાણે એકમત છે કિન્તુ સ્થળ અંગે મતભેદ ધરાવે છે. આપણે જોયું કે કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સૂરિપદ સ્થળ તરીકે ઇચપુરનો ઉલ્લેખ કરે છે, જ્યારે મુનિ લાખા “ગુપટ્ટાવલી'માં આનંદપુરનું નામ આપે છે. અન્ય પ્રાચીન ગ્રંથોમાં તેમજ સાંપ્રત પટ્ટાવલીઓમાં પણ આનંદપુરનું જ નામ હાઈને તે સિંહતિલકસૂરિના પદ મહોત્સવ સ્થળ તરીકે સ્વીકાર્ય બને છે. ૭૫૯. આપણે જોઈ ગયા કે ધર્મપ્રભસૂરિ સં. ૧૩૯૩ માં આસટી નામના ગામમાં નિર્વાણ પામ્યા. એજ વર્ષે પાટણના સંઘે સિંહતિલકસૂરિને મહોત્સવપૂર્વક ગણેશપદે સ્થાપ્યા. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરાસમાં સિંહતિલકસૂરિને ગણેશપદ પાટણમાં મળ્યું હતું તે અંગે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરે છે. પ્રકીર્ણ પ્રસંગે, ૭૬૦. સિંહતિલકસૂરિના સમયમાં ઓશવાળ વંશના નાગડા ગેત્રમાં બેન, ઉદયવંત તથા મેઘાજલ નામના ત્રણ ભાઈઓ નગરપારકરમાં થઈ ગયા, જેઓ એ ગોત્રના પ્રસિદ્ધ પુઓ હતા. તેમણે સં. ૧૩૯૮ માં ધર્મકાર્યોમાં વીસ લાખ પીરોજી વાપરી. ૬૧. સિંહતિલકરિના સમયમાં શ્રીમાળીવંશીય લાછિલ ગોત્રના ધનાશેઠ વારાહીમાં સં. ૧૩૯૫માં થઈ ગયા, જેમના વંશજોમાં વહોરાની એડક થયેલી છે. એવો ભગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. એવી જ રીતે મંત્રીશ્વર વિમલના વંશમાં સં. ૧૩૯૫ માં સાલીંગ અને સહદેવી નામનાં પતિપત્ની ધોળકામાં થયા હોવાનો ઉલ્લેખ પણ ભગ્રંથો પૂરો પાડે છે. અંચલગચ્છીય શ્રાવકોની વિશેષ પ્રવૃત્તિ ભટ્ટ-ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી. - ૬૨. પદાવલી ભાષાંતરમાં મુનિ ધર્મસાગર નોંધે છે કે સિંહતિલકસૂરિના ઉપદેશથી અનેક જિનમંદિરનું નિર્માણ થયું છે, તથા અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ છે, પરંતુ આજ દિવસ સુધીમાં તે વિષેનો એક પણ ઉત્કીર્ણિત લેખ પ્રકાશમાં આવ્યો નથી. એ ઘણું જ દુઃખનો વિષય છે. ધર્મસાગરજીએ પ્રકાશિત કરેલ પદાવલી ભાષાંતરને આધારે કહી શકાય છે કે સૂરિના ઉપદેશથી સં. ૧૩૭૧ માં ખંભાતના રહેવાસી જાગેત્રના છાહડ નામના શેઠે તીર્થસંધ કાઢ્યો હતો તથા ખંભાતમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. એજ ગેત્રના મેહણશેઠે ખંભાતમાં સિંહતિલક. મૂરિના ઉપદેશથી સં. ૧૩૭૯ માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આનંદપુર, ૭૩. આનંદપુરમાં સિંહતિલકરિનો સં. ૧૩૭૧ માં પદમહોત્સવ થયો, એ વિષે આપણે ઉલ્લેખ Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy