SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અચલગચ્છ દિગદર્શન એમ જણાય છે. આપણે જોયું કે એમની દીક્ષાનું વર્ષ સં. ૧૩૦૬ જ સ્વીકાર્ય કરે છે. મો. દ. દેશાઈ, ભીમશી માણેક, હી. હે. લાલન, બુદ્ધિસાગરજી આદિ સાંપ્રત ગ્રંથકારો પણ એજ વધ કવીકારે છે. ૬૭૨. પ્રત્યેક ગ્રંથકારો દેવેન્દ્રસિંહસૂરિનાં પદમહોત્સવનું વા સં. ૧૩૨૩ સર્વાનુમતે સ્વીકારે છે. તિમિરપુરમાં એમને આચાર્યપદ પ્રાપ્ત થયું. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે : “તેવીસે તિમિરપુર બદવે સુગુણ ખાણિ સૂરિ પયું.” બહુ જ મોટા ઉત્સવથી એમને આચાર્યપદ મળ્યું હોઈને માનવાને કારણ મળે છે કે અજિતસિંહસૂરિએ એક જ મુદ્રમાં પોતાના પંદર શિષ્યોને મૂરિપદ આપ્યું હતું, તે વખતે જ દેવેન્દ્રસિંહસૂરિને એ પદ મળ્યું હશે, કેમકે એ વખતે પણ મોટો ઉત્સવ થયો હતો, જે વિષે આપણે જોઈ ગયા. ૬૭૩. અજિતસિંહરિ સં. ૧૩૩૯ માં દિવંગત થતાં દેવેન્દ્રસિંહસૂરિ એજ વર્ષમાં અંચલગચ્છના પટ્ટધર તરીકે અભિયુક્ત થયા અને એમણે ગચ્છની ધુરા સંભાળી. કવિવર કાન્ડ “ગચ્છનાયક ગુરુરાસે માં નોંધે છે: “મુરિ તેવી સંઈ તિમિરપુર, ગુણયલઈ ગણ રાઉ.' ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એજ વર્ષ ધતા કહે છે : “ઉગણયાલે ગણુ પઈ એગહુરિ પરભવં પત્ત. ૬૪. કવિ અને વકતા. ૬૭૪. દેવેન્દ્રસિંહસૂરિ સારા કવિ અને વક્તા હતા. પાવલીમાં જણાવવામાં આવ્યું છે કે દેવેનસિંહસૂરિ ઉત્તમ કવિ થયા. તેમણે અનેક પ્રકારના ચિત્રબદ્ધ કાવ્યોવાળી શ્રી જિનેશ્વરપ્રભુની સ્તુતિઓ રચેલી છે: PM Tarખ્યાત પુર્વત શ્રી દેવેન્દ્ર તય કવિવર વમૂવુડ | તૈatश्चित्रकाव्यवध्धाजिनेन्द्रस्तुतयः कृताः सन्ति । ૬૫. “જૈન ધમને પ્રાચીન ઇતિહાસ ભા. ૧, પૃ. ૫૯ માં પં. હી. હે. લાલન જણાવે છે કે દેવેન્દ્રસિંહસૂરિએ જૈન મેઘદૂત આદિ ગ્રંથ રચ્યા છે. દુ:ખને વિષય એ છે કે આજે દેવેન્દ્રસિંહસૂરિની એક પણ રચના ઉપલબ્ધ રહી નથી. ૬૭. દેવેન્દ્રસિંહસૂરિ પ્રતિભાસંપન્ન વક્તા હતા એ અંગેનાં પ્રમાણ અનેક ગ્રંથોમાંથી મળી રહે છે. એમનું વ્યાખ્યાન સાંભળવા અન્ય ગચ્છના ઉપાધ્યાયે અને પંડિત મોટી સંખ્યામાં આવતા અને એમની અદ્ભુત વાણી સાંભળી ચમત્કૃત થતા. ૬૭૭. પદાવલીમાં એવો ઉલ્લેખ છે કે દેવેન્દ્રસિંહરિએ રચેલાં કાવ્યને ચમત્કાર સાંભળીને ઘણું પંડિત તેમનાં કાવ્યો સાંભળવા પાટણમાં એમની વ્યાખ્યાન સભામાં આવતા હતા અને તેમનાં કાવ્યો સાંભળીને સૌ પ્રભાવિત થતા હતા–વં જ તે શ્રી દેવેન્દ્રસિદજૂથો વિદત પુરા પત્તને समायाताः । तेषां काव्यचमत्कृतिं श्रुत्वा बहवः पंडितास्तद्वयाख्यानसभायां तत्काव्यानि श्रोतुं समागच्छतिस्मा श्रुत्वा च तेषां काव्यानि हृदयेषु ते चमत्कारं प्राप्नुवन्ति । ૬૮. લધુતપદીની ગંધ-પ્રશસ્તિમાં તુંગરિ નેધે છે કે દેવેન્દ્રસિંહસૂરિનાં વ્યાખ્યાન સાંભળવા અનેક દેશોમાંથી આવેલા આચાર્યો અને ઉપાધ્યાયોથી જ સભા ભરાઈ જતી હતી. ત્યાં બીજા સાંભળનારાઓને જગ્યા પણ ન મળતી. જુઓ–તપદે શ્રી દેવેન્દ્રસિદર યથાથાનવાર્થનેदेशेभ्यः समेत्याचार्योपाध्यायादिभिरेव पूर्णायां सभायामेत्य श्रोतृणां स्थानमेव नाभवत् । ૬૭૯. વર્ધમાન-પદ્ધસિંહ શાહે જામનગરમાં બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ના માગશર સુદી Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy