SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અંચલગચ્છ દિગ્દશન આવ્યા. અને મંદિર બંધાવીને તેનું નામ “ભટેવા પાર્શ્વનાથ' રાખ્યું હોય, જુઓ “જૈનતીર્થ' ભા. ૧, પૃ. ૫૪. આ કથનને જનશ્રુતિ સિવાય બીજા કશા પ્રમાણને આધાર મળતો નથી. આવી બીજી વાત પણ “ભટેવા” નામ અંગે સાંભળવા મળે છે. ૬૪૬. ચાણસ્મા ગામમાં ભટેવા પાર્શ્વનાથ ભગવાનનું એ મંદિર આજે પણ વિદ્યમાન છે. તેનું દ્વાર ઉત્તર દિશામાં છે. તેમાં મૂળનાયકની પ્રતિમા વેળુની બનાવેલી હોય એવી રંગરચના લાગે છે. આથી પણ ખાતરી થાય છે કે, આ મંદિર ઘણું પ્રાચીન છે. સં. ૧૮૭૨ માં આ જિનાલયને જીર્ણોદ્ધાર થયો છે. જેને આ સ્થાનને તીર્થરૂપે માને છે. તહેવારોમાં ત્યાં મેળે પણ ભરાય છે. અંચલગચ્છના ઈતિહાસમાં આ તીર્થને ઈતિહાસ અવગું સ્થાન ધરાવે છે કે, આ ગચ્છને પટ્ટધર અજિતસિંહસૂરિ આ તીર્થના પ્રતિષ્ટાપક આચાર્ય હતા. માણિજ્યસૂરિ અને એમની કૃતિ શકુનસારદ્વાર ૬૪૭. અજિતસિંહસૂરિના શિષ્ય માણિજ્યસૂરિએ સં. ૧૩૩૮ નાં વર્ષમાં પૂર્ણિમાને દિવસે અગિ ચાર પ્રકરણમાં ૫૦૮ શ્લેક પરિમાણુના શકુન સાહાર નામના નિમિત્ત શાસ્ત્રના ગ્રંથની સંસ્કૃતમાં રચના કરી. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ નંધે છે : સારીઃ સાપુનાખ્યઃ ગૃપમેતવિયાંચTTI માक्यसूरिः सुगुरुप्रासादात् यत्पानतः स्याद् विवुधप्रमोदः ॥४२॥ वसु वह्नि वह्नि चंद्रप्वा श्वयुजी पूर्णिमा तिथौ रचितः । शकुनानामुध्धारोऽभ्यासवशादस्तु चिद्रप ॥४३॥ श्री अजितसिंहसूरीणामंतेवासिना कृतः। माणिक्यसूरिणोध्धारः शकुनानां परिस्फुटः ॥४४॥ ૬૪૮. આ ગ્રંથને આધાર લઈ તપાગચ્છીય જાવિયે સં. ૧૬૬૦ માં “શકુન શાસ્ત્ર પાઈ'ની રચના કરી. જયવિજય માણિકરિના ગ્રંથનો ઉલ્લેખ પિતાના ગ્રંથની પ્રશસ્તિમાં આ પ્રમાણે કરે છે? શકુન દીપિકા ચઉપઈ નામ, શકુનાવમાંહિ એ કામ; અથવા વસંત રાજની સાખિ, શુકુનદ્ધાર ભાખી એ ભાખ. ૬૪૯. સુતપ્રાયઃ ન ગળ્યો જૂત્રિ એ નામના લેખ જે. સ. પ્રકા. વ. ૨, અં. ૧૧, પૃ. ૫૬૭ માં અગરચંદ નાહટા આ ગ્રંથને પણ લુપ્ત ગ્રંથ તરીકે ઓળખાવી દે છે. હીરાલાલ હંસરાજ લાલને આ ગ્રંથને સં. ૧૯૭૪ માં પ્રકટ કરેલ હોઈને તે પ્રાપ્ય જ છે. જિનવિજયજીની પ્રશસ્તિઓની નંધમાંથી પણ મૂળગ્રંથની પ્રશસ્તિ મળી રહે છે, જુઓ “આનંદ કાવ્ય મહોદધિ' મૌક્તિક ૭મું પૃ. ૪૭. ૬૫૦. “જૈનગ્રંથાવલી માં માણિક્યસૂરિએ રચેલ “શકુન શાસ્ત્ર” અને “કુસદ્ધાર ” અંગે કહેવાયું છે કે આ બન્ને ગ્રંથો એક જ લેવા જોઈએ, કારણ કે બન્નેને છેક સંખ્યા તથા કર્તાનું નામ મળતું જ છે. ફક્ત નામમાં સહેજ ફેર છે. તે વખતે લહિયાનો દેવ પણ સંભવી શકે. પ્ર. વેલ કર પણ “જિનરત્નકેશમાં આ માન્યતાને પુષ્ટિ આપે છે. ૬૫૧. “બૃહથ્રિપ્પનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં પણ આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે જેવા મળે છે ઃ ૬૦૩. ફાગુના દ્વારે મfજવણીઃ ૨૩૩૮ વર્ષ: ૧૦૮ | એજ સૂચિમાં એ પછી એવા જ નામના બીજા એક ગ્રંથની નેંધ પણ છે : ૬૦% ફારસન્ન કર્તા વાર્તામર્થ Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy