SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ્છ દિગ્દર્શન કવિ ધર્મ : પર૧. મહેન્દ્રસિંહરિના શિષ્ય કવિ ધર્મ સં. ૧૨૬૬ માં જ મિચરિત-જબૂસ્વામિ ચરિયની રચના કરી. ગૂર્જરભાષાના પરિમાર્જિત પ્રાચીન સ્વરૂપને સમજવા માટે આ કૃતિ ઘણી ઉપયોગી છે, કેમકે એ ભાષાના ઉગમના સૈકાની કૃતિઓમાંની તે એક છે. “પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ માં આ કૃતિ પ્રકટ કરવામાં આવી છે. કાવ્યની પ્રશસ્તિમાં કવિ કૃતિ વિષે, પિતાના ગુરુ વિષે તથા ગ્રંથરચના વિષે આ પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ વીર જિર્ણદહ તીથિ કેવલિ દૂઉ પાછિલઉ, પ્રભવઉ બUસારીઉ પાટિ સિદ્ધિ પુતુ જ બૂ સ્વામિ, જબૂ સામિ ચરિત પઢઈ ગુણઈ જે સંભલઈ સિદ્ધિ સુખ અસંત તે નર લીલાહિ પામિસિ ૪૦. અહિંદસૂરિ ગુરુ સીસ ધમ્મ ભણુઈ ધામી, ચિંતઉ રાતિ દિવસિ જે સિદ્ધિહિ ઉમાહીયાહ, બારહ વરસ સહિ કવિતુ ની ૫ છાસઠઈ, સેલહ વિજજાએવિ દુરિય પાસઉ સયલ સંઘ ૪૧. પર૨. “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૩ તથા ભા. ૩ પૃ. ૩૯૭માં મે. દ. દેશાઈ નોધે છેઃ મહેન્દ્રસિંહરિ (૧) અંચલગચ્છમાં ધમધસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. જન્મ સં. ૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨ ૬૩, ભરણુ ૧૩૦૯. તેમણે સં. ૧૨૯૪માં શતપદિકા નામને ગ્રંથ રચે છે. (૨) બીજા મહેદ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં. ૧૨૪૧ માં થયા છે, તેમણે હેમચંદ્રકૃત અનેકાર્થ સંગ્રહ પર અનેકાર્થ કેરવાકર કૌમુદી નામની ટીકા રચી છે. સં. ૧૨૪૧ માં રચાયેલ સમપ્રભાચાર્યના કુમારપાળ પ્રતિબોધને શ્રવણ કરનાર હતા. (૩) ત્રીજા મહેદ્રસૂરિ વાદિદેવસૂરિના શિષ્ય હતા કે જેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ ગ્રંથ રચ્યો છે. જુઓ જેસલમેર ભાંડાગારીય સૂચી પૃ. ૬૦ (પ્રોજક પંડિત લાલચંદ ). આમાંથી આપણા કવિના ગુરુ પહેલા મહેંદ્રસૂરિ લાગે છે.' પર૩. મો. દ. દેશાઈ “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩ પૃ. ૩૯૭-૮ માં “યૂલિભદ્ર રાસ' (ગા. ૪૭) તથા “સુભદ્રાસતી ચતુષ્પાદિકા' (ગા. ૪૬) ની પ્રશસિઓ નોંધે છે. આ બન્ને કૃતિઓ પણ ધર્મરચિત હોવાનું તેઓ અનુમાન કરે છે. આ બન્ને કૃતિઓની પ્રશસ્તિઓમાં ધમ્મુ કહેઈ' દ્વારા કવિએ પિતાનું નામ સૂચવ્યું છે. નીતાદેવી ૫૨૪. નીતાદેવી અપરના નીતલાદેવી અંચલગચ્છમાં સુશીલ જૈન મહિલા થઈ ગયાં. પં. લા. ભ. ગાંધી “ઐતિહાસિક લેખસંગ્રહ' પૃ. ૩૪૧ માં એમને વિષે જણાવે છે કે “વિક્રમની ૧૩ મી સદીના અંતમાં ક્ષત્રિય શિરોમણિ સૂરાના બંધુ શાંતિમદેવનો પુત્ર વિજપાલ, ઝાલાકુલમાં ચંદ્ર જેવો થઈ ગયો. તેની પ્રિયા રાણી નીતાદેવી નીતિજ્ઞ અને રાજગુણેથી વિભૂષિત હતી, તથા ધર્મકાર્યોમાં પણ ઉદ્યમી હતી, જેમના પુત્ર રાણ, પદ્મસિંહ વિનયી અને નીતિમાન હોઈ લોકોને આનંદ આપતા હતા; તથા પુત્રી રૂપલાદેવી શુરવીર દુર્જનશલ્યની પ્રિયા થઈ હતી. શુદ્ધ બુદ્ધિશાળી શ્રદ્ધાળુ આ નીતલાદેવીએ વિધિપક્ષના વિદ્વાન મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી પદરી–પાટડીમાં પાર્શ્વજિનેશ્વરનું ચૈત્ય (મંદિર) અને પિષધશાળા (ઉપાશ્રય) કરાવ્યાં હતાં તથા ગશાસ્ત્ર-વિવૃત્તિનું પુસ્તક પણ લખાવ્યું હતું, જે પાટણમાં Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy