SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસિંહસૂરિ ૧૦૫ છે, કવિવર કાઃ તેમજ મેસતુંગરિ સરનગર કહે છે. મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં સરાને ગામ કહેવામાં આવ્યું છે, પરંતુ ઉપર્યુક્ત પ્રમાણોને આધારે તે પ્રસિદ્ધ નગર હતું. ૪૭૧. ગચ્છનાયકપદ-સંવત તેમજ નિર્વાણ-સંવતને બાદ કરતાં, અન્ય બાબતોમાં ઉપર્યુક્ત પ્રમામાં સામ્ય છે. મુનિ લાખા, કવિવર ટાન્ડ તેમજ મેજીંગમુરિ. મહેન્દ્રસિંહસૂરિનો ગચ્છનાયક પદ–સંવત ૧૨૭૧ સૂચવે છે તે વિચારણીય છે. મહેન્દ્રસિંહરિના ગુરુ અને પૂરોગામી પટ્ટધર ધર્મસૂરિ સં. ૧૨૬૮ માં તિમિરપુરમાં નિર્વાણ પામ્યા એ વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. પદાવલીકાર એમનું મૃત્યુ કચ્છનાં ડાણ ગામમાં થયું હોવાનું નોંધે છે. સ્થળ નિર્દેશન એ ફરક જતો કરતાં બન્ને પટ્ટધર વચ્ચે ત્રણ વર્ષ જેટલા લાંબા સમયને અવકાશ રહે છે, જેનાં સમર્થનમાં કોઈ કારણ પ્રાપ્ત થતું નથી. આ નિદેશ ભાત જણાય છે. ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે ડે. કલાટ મહેન્દ્રસિંહસૂરિન ગચ્છનાયકપદ સંવત ૧૨૬૯ નેધે છે તે ઠીક જણાય છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાં પણ એ સંવતને સ્પષ્ટ નિર્દેશ છે, જે સ્વીકાર્ય છે: બારસ અઠ્ઠાવીસે જમણ સાતીસએય ચારિત્ત, તેસઈ આયરિઉ ઉગુત્તરી ગચ્છ પણ ભારે. ૫૫ ૪૭૨. પટ્ટાવલીમાંથી વિશેષમાં એવો ઉલેખ પ્રાપ્ત થાય છે કે સં. ૧૨૫૭ માં ઉપાધ્યાયપદે અભિયુક્ત થયા પછી તેઓ નગરપારકરના સંધના આગ્રહથી ત્યાં જ ચતુર્માસ રહેલા. તેમના ઉપદેશથી ત્યાંના વડેરાગોત્રીય સંગ નામના શ્રેષ્ઠીએ ગોડી પાર્શ્વનાથજી તીર્થની સંધ સાથે યાત્રા કરી. મહેન્દ્રસિંહ ઉપાધ્યાય પણ એ સંધમાં હતા. ત્રણ વર્ષને દુષ્કાળ ૫ ૪૭૩. એ અરસામાં એ તરફ ભયંકર દુકાળ પડ્યો. મહેન્દ્રસિંહ ઉપાધ્યાય એ વખતે કીરાડુ ગામમાં ચતુર્માસ રહ્યા હતા. ગુસ્ના ઉપદેશથી કીરાકુના વતની વડેરાગોત્રીય આલ્ફાક શ્રેષ્ઠીએ દુષ્કાળ પીડિતોને ભારે મદદ કરી અને અસંખ્ય લેકેને તથા પશુપક્ષીઓને ઊગાર્યા. આલ્ફાક શ્રેષ્ઠીએ એ ત્રણ વર્ષના દુષ્કાળ વખતે કૂવાએ દાવ્યા, દાનશાલાઓ તથા પરબ સ્થાપી અને અનેક લેકેપગી કાર્યો કર્યાં. - ". પદાવલીમાં આ ત્રિવધ દુષ્કાળ અંગે એવું વર્ણન છે કે આલ્ફાક શ્રેષ્ઠીનાં ઘરનાં આંગણામાં એક બોરડીનું વૃક્ષ હતું. તેના પર બેઠેલે કાગડે ઉચ્ચ સ્વરે બેલીને ઊડી ગયો. ગુસ નિમિત્ત શાસ્ત્રના પારગામી હતા એટલે કાગવાણી દ્વારા જાણી શક્યા કે બોરડીનાં વૃક્ષની નીચે ધનનું મોટું નિધાન છે. ગુએ આહાકને આગામી ત્રિવથી દુષ્કાળ અને ધનનાં નિધાન અંગે વાત કરી અને જણાવ્યું કે એ દુકાળ વખતે એ ધનને ઉપગ દુષ્કાળ પીડિતેના ઉદ્ધાર માટે કરો. ગુરુનાં કહેવા પ્રમાણે ત્રિવથી દુષ્કાળ પડ્યો અને સૂચિત બેરડીનાં વૃક્ષ નીચેથી ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. આલ્ફાક શ્રેષ્ઠીએ ધનને સદુપગ કરી અનેક જીવોને ઊગાર્યા અને પિતાનું જીવન કૃતાર્થ કર્યું. ૪૫. માનવજીવનને નીભાવવાનાં આવાં અત્યંત ઉપયોગી કાર્યો કેટલાંક રૂઢિચૂસ્ત માનસને ખૂઆ હેવાનો નિર્દેશ પણ પદાવલીમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિ આવ્યું તીર્થની યાત્રા કરી થરાદ નગરમાં પધાર્યા, તે વખતે તપગચ્છાધીશ દેવેન્દ્રસૂરિ સાથે એમને એ વિષયમાં ચર્ચા-વિચારણા થઈ અને આચાર્યો વચ્ચે મહાવ્રતોના અતિચાર સંબંધી ચેયસી પ્રક્ષયુક્ત સંવાદ થયો. દેવેન્દ્રસૂરિએ કહ્યું કે-શ્રાવકોને તેમજ બીજા ગૃહસ્થને નિમિત્તે કહેવું તથા નિધાનનું સ્થાન દેખાડવું ૧૪ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy