________________
૧૬
૭–જિન પ્રતિમા, જિન બિમ્બ આદિનું જે સ્વરૂપ
શ્રી કુંદકુંદ સ્વામીએ પિતાના ગ્રંથમાં બતાવેલ છે, તેને અને આ જડપૂજાને કોઈ સંબંધ નથી. તેથી આ મૂર્તિ પૂજા અનાવશ્યક ઠરે છે.
૮–સર્વજ્ઞ, વીતરાગ અને હિતેપદેશી આ દેવનાં
લક્ષણ છે. તેમાંનું એક પણ લક્ષણ આ જડ મૂર્તિમાં મળતું નથી, એટલા માટે મૂર્તિપૂજા એ જડપૂજાજ છે, અને તેથી તે મિથ્યાત્વનું કારણ બને છે. મિથ્યાત્વજ આ જીવને મોટામાં મોટે વેરી છે, એટલા માટે મિથ્યાત્વની જનની એવી આ મૂર્તિપૂજા તદૃન આવશ્યક ન છે.
-જીવના દરેક મનોરથ શાથી પૂર્ણ થાય છે.
જ્યારે શાથીજ આત્મકલ્યાણની બધી સામગ્રી મળી રહે છે, ત્યારે એવી કઈ બાબત બાકી રહી જાય છે કે-જે શાસ્ત્રથી ન મળતી હોય અને મૂતિથી મળતી હોય ? એટલા માટે પણ સિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજા જીવના કલ્યાણમાં. જરાપણ સહાયભૂત થતી નથી, એટલા માટે આ
મૂર્તિપૂજા તદ્દન અનાવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com