SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પિતા કે મિલ્કતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેને જીવનમાં પણ મહત્વાકાંક્ષા હોય છે, પણ તે મહત્વાકાંક્ષાનું ફળ જુદુ, સ્વરૂપ જુદું અને તેનું મૂળ પણ જુદું હોય છે. સાધુ જીવનમાં મહત્વાકાંક્ષા, જીવનશુદ્ધિ, ગુણગ્રાહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધભાવના સ્વરૂપ હેાય છે, સ્વજીવન શુદ્ધિના સિનિક મુનિને પરની ચિંતા કરવાની કે પરમાટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તે સ્વજીવન શુદ્ધિના અખ્ખલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં દઢ. હસ્તગત થવાનીજ તમન્ના હોય છે, આ તમન્નાની સચોટતા પરિપકવજ્ઞાનથી, વિકટ ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ જીવનથી પૂરવાર થાય છે. દુનીયામાં મહત્વાકાંક્ષાના ફળ રૂપે સેનાપતિ, દીવાન કે કેશાધ્યક્ષ વિગેરે પદવીની તે તે વ્યક્તિની ઈચછા હોય છે, જ્યારે મુનિજીવનમાં મહત્વાકાંક્ષાના ફળરૂપે પદપ્રદાન એ વધુ જવાબદારવાળી અને આવી પડેલ ગુરૂની આજ્ઞાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અગ્ય સૂચવે છે, મહાપુરૂષોના પદવી પ્રદાન તેમની અનીચ્છામાં ગુરૂની કે સંઘની આજ્ઞાને આધીન થઈને શાસનહિતદષ્ટિ ધ્યાનમાં રાખી તેઓને લેવાં પડે છે, અને તેઓ સમજે છે કે આ પદ જે મહાનપુરૂ ધારણ કરતા અને જેઓના આ મહાપદ ઊપર આખા શાસનની મુદાર હતી તે મારા જેવા સામાન્ય માણસ ઉપર આવી પડે છે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને ગુરૂ મહારાજ તથા સંઘ અને શાસનદેવ તે વહન કરવાની શકિત આપે ઇત્યાદિ ભાવનાથી પિતાનું જીવન ઉદાત્ત બનાવનારા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy