SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસરિ જીવનચરિત્ર શિખવ્યું છે. અને સમજાવ્યું કે જ્યાં અહિંસા નહિ ત્યાં ધર્મ નહિ અને એથી જ આજે ગુજરાતની અઢારે પ્રજામાં અહિંસાવાદ જીવનમાં ઉતરેલ છે. જ્યારે બીજા ભાગની ઉચ્ચગણાતી પ્રજા તે કેટિથી આજે પણ ઘણી જ દૂર છે. | ગુજરાત સંપત્તિ અને સૌભાગ્યમાં પણ સૌને ઈર્ષ્યા ઉત્પન્ન કરાવે તે અણમેલ રહ્યો છે. કારણ કે તેનું જવાહર અને કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ અને તેને ઉપગ પણ ગુજરાત માટે જ સર્જાયેલાં છે. છતાં પણ ગુજરાત સંપત્તિની પ્રાપ્તિ કે સંગ્રહથી પ્રસંશાયેલ નથી પણ તેની સંપત્તિને જગત્ કલ્યાણ માટે છૂટે હાથે કરાયેલા તેના ઉપયોગથી પ્રશંસા પામેલ છે. હજાશે હસ્તલિખિતગ્રંથભંડારો, હજારો જિનમંદિર, અને હજારે લેકેપગી ઈમારતો આજે પણ ગુજરાતની સંપત્તિની સાક્ષી પૂરે છે. છતાં એ ભૂલવું ન જોઈએ કે ગુજરાતના ધર્મ અને અર્થના સુગ મેળના વિકાસ અને પૂર્વ ઘટના એ સર્વના નિયંતા જેનભક્તવર્ગ જ છે. અર્થાત ગુજરાતનું તિલક જેને છે. અને ગુજરાતનું ગૌરવ ગુજરાતની પ્રતિષ્ઠા, ગુજરાતની અણમોલતા અને તેની તેજસ્વિતાના આત્મા અને સર્જકે જેને જ છે. અહિંસાના સત્વથી ચણાયેલ ધર્મ અને નીતિમાં મોટાઈ, અજ્ઞાનતા, દંભ, અને આજીવિકા નિમિત્તે થયેલ વિકૃતતાને લઈ ધર્મમાં પણ યજ્ઞયાગાદિને નામે બ્રાહ્મણોએ હિંસા ઘુસાડી દઈ સર્વત્ર અજ્ઞાન અને મહતિમિર છવરાવ્યું. આ સર્વ તિમિરને દૂર કરનાર સૂર્યસમા વીર પરમાત્માએ ફરી જૈન ધર્મને વધુ ઊદ્યોતિત કરી જગતને પ્રકાશ માગે મુકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy