SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળમુરિ જીવનચરિત્ર આર્યાવર્તે ભાષા, ઉદ્યોગ, નીતિ, સાહિત્ય, રાજવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા વિગેરે તમામ સુયોગ્ય સ્મરણે પ્રત્યક્ષ કે પક્ષ રીતે શીખવ્યાં છે. તેમજ જગત ભરના તમામ દેશે આધિ, વ્યાધિ અને ઉપાધિસર્જકના ઉદેશમાંજ વિજ્ઞાન, અને વિદ્યાને પ્રચાર વિકાસ અને શેધનમાં મશગુલ બન્યા છે. જ્યારે આર્યાવર્તન વિજ્ઞાન, વિદ્યા અને તત્ત્વજ્ઞાન એ સર્વને ઉદ્દેશ માનવ કલ્યાણની પ્રવૃત્તિને અનુલક્ષીને પ્રવૃત્તિપરાયણ જીવનવૃત્તિને નિવૃત્તિ પરાયણ બનાવી આત્મચિંતનને છે. દુનીયાના બીજા દેશોને સામાન્ય વ્યવહારિક વિદ્યાને યા અન્ન અને વસ્ત્રની ઉત્પત્તિને પણ ખ્યાલ નહેાતે તે પહેલાં આર્યાવર્ત આત્મા, પરભવ કર્મ વિગેરે અણમેલ પ્રશ્નોના ઉકેલમાં મશગુલ હતું. આ આર્યાવર્તમાં ગુર્જરદેશ આર્યાવર્તના ભૂષણ અને તેના વર્ચસ્વના બીજ સમાન છે. કારણ આર્યાવર્તના વિકાસના મંડાણ પ્રગતિ અને પૂર્ણતાનું સુભાગ્ય તેના લલાટે લખાયું છે. ધર્મ, અર્થ અને કામના સુમેળથી ત્રિવેણી સંગમ સરખે ગુજરદેશ છે. કારણકે તે ગુજરાત ધર્મ મમત્વથી ભરપુર છતાં તેણે વિવેકને વિસર્યો નહોતે. ગુજરાતે ધર્મ પાછળ અખુટ લક્ષ્મીનો વ્યય કર્યા છતાં તે વૈભવરહિત કે શુષ્ક જીવન જીવ્યું નથી. ગુજરાત અનેક ધર્મપથાથી વ્યાસ છતાં સર્વધર્મ મુકુટમણિ જેનધર્મને પિતાના હૃદયમાં વિશાળ સ્થાન આપવામાં ચકર્યું નથી. અહિંસા પરમધર્મ રૂપ જેને ધર્મના સત્વને તમામ ધર્મમાં પ્રતિબિંબિત કરી જીવન પ્રવાહમાં ઓતપ્રેત કરતાં શીખવ્યું હોય તે તે ગુજરાતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy