SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સરિતા ગુમ થયાને ભેદ. ૩૪૭ annum અમારે ત્યાં અમરાપુરમાં રહેતી હતી તે તમે જાણે છે. માના મરણ વખતે કાણે બેસવા પણ તમે તથા તમારા ભાઈ કેસરીમલ આવ્યા હતા. તે પછી સરિતા તમારે ત્યાં છોકરા છોકરીનાં લગ્ન વખતે આવેલી. તે પાછી અમરાપુર આવીજ નથી. માટે અમે જાતે ખબર કરવા આવ્યાં છીએ.” આ સાંભળી નવલકુંવર આંસુ લાવી કહેવા લાગી “ભાઈ તમને શું કહું ? સરિતાને એક બાઇ તથા ત્રણ ચાર એળખીતાની સેબત સાથે કુંદન ગામે જાત્રાને મેળે જેવા મોકલી હતી ત્યાંથી કેઈ ઉપાડી ગયું છે. હજુ સુધી પત્તો લાગતું નથી. તેના મામા ગામે ગામ રખડે છે.” ચંદ્રકુમાર–“શું કહે છે? અમને કાગળ તો લખવો હતો ?” નવલકુંવર–“અમારા મનથી હમણાં જડશે, હમણાં જડશે, એમ કરતાં કરતાં બે ત્રણ મહીના થઈ ગયા. આવા માઠા સમાચાર તમને શું જણાવીએ?” એમ કહી નવલકુવર ખૂબ રેવા લાગી. સરલાની આંખમાં પણ ઝળઝળી ભરાયાં. ચંદ્રકુમાર “તમે અમને આગળથી ખબર આપી હોત તે પોલીસને ખબર આપત અને તપાસ થાત.” | નવલકુંવર–“અમને ગરીબ માણસને સરકારી કામની શી ખબર પડે? મારા ભાઈ કયા ગામ ગયા છે તેની પણ અમને માલમ નથી. ઘેરે હું એકલી છું. છોકરાં પણ મોસાળમાં છે. અમરાપુરથી કાગળ આવેલા પણ કોની પાસે જવાબ લખાવું ?” : ચંદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે અહીં બેસવાથી વધુ માહીતી મળે તેમ નથી અને કાંઈ ભેદ જેવું જણાય છે, તેથી ત્યાંથી તેઓ રજ લઈને ઉઠયાં. પ્રથમ તો તેમણે વીશી શેલી કાઢી જમી લીધું. પછી એક ઓરડામાં ચંદ્રકુમાર અને સરલા ખાટલા પર બેઠાં. બાજુની બારીમાંથી લીંબડાની ધટામાં ગળાઈને ઠંડે પવન આવતું હતું. વરસાદ ઉડી ગયા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તેથી વધુ માત્રામાં વિચારવા લ
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy