SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છુપી દીક્ષાની અફવા અને તપાસ. કરાવે છે. તેમાંનાં બે જણાં એક બાઈને ત્યાં વહોરવા ગયેલાં તે તે બાઈ આગળ પિતાના દુઃખની વાત કરતાં હતાં. તે વાતમાં ને વાતમાં સાધુઓમાં થયેલી તકરારની વાત કરી. તે તકરારમાં મુદ્દાની વાત એ હતી કે છુપી દીક્ષા આપવા માટે એક સાધુને કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી, બીજાને કહ્યું ત્યારે બીજાએ પણ ના પાડી. તેથી મહારાજ ગુસ્સે થયા અને તકરાર થઈ. પછી એક મનહરવિજય સાધુ હતા તેમને ત્યાં મોકલ્યા અને દીક્ષા અપાઈ આ વાત તે બાઈએ મારા ઘરમાં કરી. તે વાતમાં પણ ચીમનલાલનું નામ બોલાય છે. વળી ગઈ કાલના માહવદ ૯ ના પ્રજાપકારપત્રમાં દીક્ષા ઉપર થયેલી ટીકાની થોડીક લીટીએ આ વાતને ટેકો આપે છે” એમ કહી રસિકલાલ પ્રજાપકારમાંથી તે ફકર શોધી વાંચવા લાગ્યો– “આ દીક્ષા મહોત્સવ પ્રસંગે તમામ અયોગ્ય દીક્ષાના હિમાયતી આગેવાન ગૃહસ્થ પધારેલા હતા પરંતુ તેમના ખાસ નેતા શેઠ ચીમનલાલે હાજરી આપેલી નહતી, તેમજ સાધુમંડળીમાંથી મનહરવિજયજી મહારાજ પણ પધારેલા નહતા. ખાનગી કામના દબાણને લીધે કદાચ રેકાઈ ગયા હશે.” તે પછી જે જે જાણવા જેવા ફકરા હતા તેને લાલ પેન્સીલથી નિશાની કરી રસિકલાલે ઈન્સ્પેકટરને આપ્યા અને આચાર્યશ્રી અને તેમની પ્રવૃત્તિથી ઈન્સ્પેકટરને માહીતગાર કર્યા. ઇન્સ્પેકટર જાણે ખુશી થયો અને જણાવ્યું “હું આફીસમાં જઈ કેસ તૈયાર કરું છું. મારી ઓફીસમાં પણ કેટલીક જૈનેની બાતમી . મેળવવાનાં સાધન છે. હું અત્યારથી તેજ કામમાં રોકાઉં છું. પટ્સવ આ સાધુઓ આજકાલ જવાના તે નથીને?” તે તેમને ચંદ્રકુમારે કહ્યું—“મને ચોકસ ખબર મળી છે કે તે નથી. સૌને માહ વદ બારશે અત્રેથી સવારે જવાના છે. સાધ્વીએણે પણ હું તેમની “કદાચ જે તે પહેલાં તે જવાના હોય તે ગમ ખાઉં છું પણ આપજે. પણ બાતમીદારે મુકી તપાસ કે તે બકરી બની જાય છે ઇન્સ્પેકટર મેનેજર સાથે શેકહેડ કરી ત્યાંથી જાણવી જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy