SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ A-૨૯ ભાવનગર તા. ૮-૮-૫૮ માનનીય વડાપ્રધાન સાહેબ, સૌરાષ્ટ્ર રાજ્ય રાજકોટ સવિનય, આજે “ભાવનગર સમાચાર માં સિંહ સિંહ અને તેના બચ્ચાની ના. સૈારાષ્ટ્ર સરકારે ગીરના વિસ્તારમાં સૌરાષ્ટ્રના જંગલી પશુઓ અને જંગલી પક્ષીઓના સંરક્ષણ ધારા ૧૯૫ર તળે શિકાર કરવાની મનાઈ કરી છે, આ સમાચારથી અત્યંત આનંદ થયો છે. અને આવા માનવતા મુક્ત અહિંસાની પ્રતિષ્ઠા વર્ધક ફરમાનથી આપશ્રી તથા ના. સૌરાષ્ટ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું, ૧૫ ઓગષ્ટ જ્યારે ભારત સ્વતંત્ર થયું છે, ત્યારે ભારતમાં વસતા તમામ માનો-પશુ-પંખીઓ પણ સ્વતંત્ર થયા છે. પરદેશી શાસનમાં આ પશુઓએ પણ પોતાના મુંગે મોઢે બલિદાન આપ્યા છે. કરોડે ગાયો-ભેંસો-બળદો આદી માનવજીવનના સાથીદારે કત્તલ થઈ ગયા છે, અનેક પ્રાણુઓ દુર શિકારને ભોગ બન્યા છે. ભારતની આઝાદી આધ્યાત્મિક શક્તિથી પ્રાપ્ત થઈ છે, અહિંસા–સત્ય—પ્રેમ-સંયમ અને તપ તેનાં સાધનો હતા. એ પ્રાપ્ત થયા પછી ભારતમાં અહિંસાનું શાસન સ્થપાવું જોઈએ, રક્તપાત બંધ થવો જોઈએ અને સાત્વિક આધ્યાત્મિક રીતે આપણું અહિંસાસત્ય–ન્યાય-નિતીના પંથે બંધારણ હોવું જોઈએ એ જ સાચું સ્વરાજ્ય છે. જ્યારે હિંદસરકાર તરફથી હિંસાના એક પછી એક ફરમાન. બહાર પડતા જાય છે. પોપટ અને વડવાંગળાને ફળફુલને વિનાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034735
Book TitleAmar Jivdaya Sadhna
Original Sutra AuthorN/A
AuthorAmarchand Mavji Shah
PublisherAmarchand Mavji Shah
Publication Year1965
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy