________________
ભારતનું અણુમુલ ધન આ રીતે ગામડાઓમાંથી ખેંચા આવે અને ભરજુવાનીમાં એક–વેતર દુધ આપી તુરત જ કસાયખાને વેચાય અને તેની કત્તલ થાય, તેને પાડા-પાડી દુધ પીધા વગર કમેતે મરી જાય. અને આ રીતે ભારતનાં પશુ ધનને બીજમાંથી નાશ થાય, એ તે સમસ્ત દેશને પ્રજાને ભયંકર રીતે નુકશાન કારક આ પ્રવૃત્તીનાં દર્શન થયા. ભવિષ્યમાં પ્રજાને દુધ–ઘી છાસના સાંસા પડે-અને ભાવી પ્રજાનું આરોગ્ય જોખમાય, માયકાંગલી પ્રજા થાય, ખેતીવાડીનાં સાધનરૂપ બળદ ઘટે આ રીતે આ જીવદયાનાં ધ્યેયમાં સમસ્ત ભારતવર્ષનાં ઉદ્ધારનાં અને આ કત્તલનાં વિષમ ચક્રમાં ભારતની અધોગતિના દર્શન થયા. આ પ્રશ્ન માત્ર ધામક દૃષ્ટિની સાથે આથક દૃષ્ટિએ વિચારવા જે લાગે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ અંગે પત્ર લખેલો તેમના તરફથી જવાબ આવ્યું
વર્ધા તા. ૨૩-૮-૩૪ “તમારે લાંબો કાગળ ગાંધીજીને મળે. ગાંધીજીએ જીવદયાની વ્યાપક વ્યાખ્યા અનેકવાર આપી છે અને માત્ર પ્રાણીઓને છરીથી ન હણવાથી જીવદયાનું પાલન નથી થતું તે પણ જણાવ્યું છે. ”
પ્યારેલાલ. એટલે આ હિંસાનાં મુળમાં અનેક બીજા અનર્થો છે તે સમજાયું.
મુંબઈ નગરમાં આવીયે, મળી નેકરી આ લાઈનમાં, દુઃખે સુણ્યા રે દીઠા, કકળી ઉઠયે મમ આતમા. મુંગા બિચારા પ્રાણુઓનાં, દુઃખ ઓછાં કેમ કરું,
ભાવના જાગી દયાની, તક મળી સાર્થક કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com