________________
[ ૫૪ ] ન કરે તો તેના બારોટપણાને ઝાંખપ આવે. પ્રેમચંદભાઈ! હવે કૃપા કરી સમજાવે તે ખરા, કે તે ત્રાષિમુનિએ આપણા આ પ્રાચીન સાધનને કયા અભિધાનથી ઓળખતા હતા. આધ્યાત્મિક ભાષામાં તેને કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે.
ભાનુમતિ જુઓ પ્રેમચંદભાઈ! એ આધ્યાત્મિક અને ત્રષિમુનિની વાતું તે અમારે ઘરે મારા ભા રેજ કરે છે, તેમાં હું આગળ બહુ ભાગ લેતી હતી, પરંતુ હાલ કંઈક પ્રમાદવશ થઈ, તે અભ્યાસ છેડેલ હોવાથી, તેમજ આ સભાજનોને મોટે ભાગ પણ આધ્યાત્મિક વિષયથી અપરિચિત હોવાથી સાદી ભાષામાં આ વિષય ચર્ચાવશે તો અમે તમારો ઉપકાર માનશું.
કાને કુંભાર: ભાનુમતિ બેન ! આ અમારી વકીલાત ઠીક કરી હે! નહીં તે ઈ બધું આધાશીતક અને ઓવ્યું માળું જીભેય ચડતું નથી. ઈ બધું અમ જેવાને કેમ સમજાય, માટે પ્રેમચંદભાઈ ! એ તો આપણી સાદી અને ઠાવકી વાણીમાં જ સમજાવજે.
પ્રેમચંદઃ આપણે હવે આત્માને અનુભવ કરવાને માટે શુદ્ધ સાત્ત્વિકી બુદ્ધિની આવશ્યક્તા છે. એ શુદ્ધ
સાત્વિકી બુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર બુદ્ધિનિર્મળતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com