________________
[ ૭ ] માણસુરઃ કુમાર અજીતસીંહ! આ સંવાદનું રૂપ તે રસે ચડયું હ! હવેનો ભાગ સમજવા આપના કેવળરામ શાસ્ત્રી અને મણિશંકર મહેતાજી અહીં હોય તે કેવું સારું!
મણિશંકર: ગઢવી ! એ ચિંતા કરતા. હું અને કેવળરામભાઈ બંને આ બેઠા! અને કહો તે પ્રેમચંદભાઈને બદલે એ પરંતુનું મહત્વ કે પશુની મહતી અમે બંને અથવા બેમાંથી એક, જે કહો તે આવી પ્રતિપાદન કરે.
આ સંવાદની શરૂઆત થતાં જ હળુહળું કરીને લોકો વીખેરાવા માંડ્યા.
દાદુભા ગઢવી ! કેમ કરશું? કાણુ, કેળવરામ શાસ્ત્રી આવે કે મણિશંકર માસ્તર આવે !
માણસુર: ભલે બાપુને ભલે ! બાપુ? આ તો ચાણક્ય બુદ્ધિ છે. આવું કરી તમે પ્રેમચંદ શેઠની મુંઝવણ રાળી ! એ તે પ્રત્યક્ષ પ્રેમચંદ શેઠને જ પુછેને કે કણ આવે તે તેને સવળતા મળે?
પ્રેમચંદ શાસ્ત્રીજી! પધારે પધારો! પૂજ્ય મણશંકરભાઈ ! આપ પણ અહીં આવો. ગઢવીને ગુમાન આવ્યું છે કે આ પ્રશ્નને ઉકેલ મારાથી નહી થાય. આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com