________________
[ ૧૮ ] પર પડત મોતીના સર કે વરસાદ આણનાર તે -બાપ ભાણ છે. જળ આપી પૃથ્વીને તર કરી દઈ તેમાં બેચેલાં બીજને જાગતાં કરી, ભૂમિ બહાર આણુનાર તે સૂર્યનારાયણનાં કરે જ છે. ગ્રીષ્મરૂતુમાં પોતે જ ભરખી અળખામણું કરેલી ભેમીકાને ફરી લીલી હરીયાળીરૂપી વસ્ત્ર ધારણ પણ તે જ કરાવે છે. જળની જ્યાંત્યાં રેલછેલ કરી દઈ, સાથે સાથે આ મનખા દેહધારીને ચેતાવી દે છે કે આ નિર્મળાં પાણી એવાં આ ભાણબાપુને બધાંએ વંદન કરવાં. આ દાયરામાં તે બધાની વતી એ સૂરજનારાયણને હું જ વંદન કરું છું. અન્નદાતા ! દાદુભાને ઘણી ખમ્મા ! ભલે મણિભાઈ શેઠને ભલે ! કુમાર અભયસીંહ તે સદા ભાણના છતર નીચે અવચળ છે જ ! | દરબાર બહુ ઠેકાણે હું ફર્યો. અનેક રાજદરબાર અને ઘણા દાયરામાં મનોરંજન કર્યા, પણ આ વિષય લડાવવાનું સૂચન આ પહેલું જ છે. આ વિષય એટલે પ્રભુની પ્રભુતાના પ્રતિપાદન કરવાનો વિષય. આપણા રૂષિમુનિની શક્તિના ગુણગાના પૂર્વજોની સંસ્કારિતાના નેજા રૂપ આ વિષય છે. આભલામાં પ્રકાશતો મહારાજા ભાણ તે યથાર્થ વર્ણવવા શક્તિ આપે. ધન્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com