________________
[ ૧૭ ] રીતે તે મન ભીતરમાં રમતું થઈ જાય ત્યારે જેમ ગાય ઉકરડે જઈ આખર કરતી આળસી, શુદ્ધ અને સારા ઘાસને આહાર ખીલે બાંધી કરે તેવી રીતે આ મન વિષયનો વિચાર છાંડી તે પોતાના પ્રભુના ચરણનું શરણું સાધે છે. આવી રીતે હળવે હળવે તે મન જેમ જેમ ચંચળતા છોડતું જાય છે તેમ તેમ તેને નિર્મળતા પ્રાપ્ત થાય છે. એ નિર્મળ મનને પલટો બુદ્ધિમાં થાય છે. અને રોજ રોજના ભગવાનના સ્મરણથી તે બુદ્ધિ શુદ્ધ સાત્વિકી અર્થાત અતિ નિર્મળ અને કાના કાકાને સમજાવવા માટે કહેશું કે નિતર્યાં પાણી જેવી, ચોખી ચણક બની જાય છે. એ શુદ્ધ સાત્વિકી બુદ્ધિ તે આપણું પ્રાચીન એકસ-રે–એપેરેટસ અને જે રીતે આજને શવૈદ્ય પ્રયોગ કરે છે તે વિધિ આપણું આર્ય સંસ્કૃતિની એકાગ્રતા, દવા આદિથી દેવાની ક્રિયા તે આપણી મનની અને તનની નિર્મળતા, તે શત્રવેદ્યનું શસ્ત્રક્રિયા સમયનું એક ધ્યાન તે તે આપણું કુટુંબ, ઘરબાર, વ્યવહાર આદિ આસપાસના સંજોગો સાથે સબંધ, તેટલો કાળ તેડી નાખવાની નિશ્ચિતતા સમજવી. આવું આ આપણું પ્રાચીન
એકસ-રે–એપેરેટસ અને તેવી જ આ શસ્ત્રક્રિયા અને તે શપ્રયોગનો વિધિ.
હવે આપણે જોઈ શક્યા છીએ તે પ્રમાણે પાશ્ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com