SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસંગે જગદ્ગુરુ હી નિબંધ નામની ચોપડી ડિહેલાના ઉપાશ્રયના શ્રી સંઘ તરફથી છપાવીને સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. અને જગદગુરુદેવને મટે ફેટે આચાર્યશ્રીના ઉપદેશથી શેઠશ્રી સાંકળચંદભાઈ દલાલના તરફથી બનાવીને પહેલાના ઉપાશ્રયમાં પાટની જમણી બાજુ માણિભદ્રની પાછળ દિવાલ પર લગાડવામાં આવેલ છે. ત્યાર પછી શાશ્વત એળી, દીપાવલી, સૌભાગ્ય પંચમી આદિ પર્વની પણ શ્રી સંજે સુન્દર આરાધના કરી હતી. વિહાર અને યાત્રા. કાર્તિક પૂર્ણિમાના દિવસે વિહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, તે મુજબ છીપામાવજીની પાળના આગેવાનશ્રી સારાભાઈ મણીલાલ નવાબ, નેમચંદડાસાભાઈ ડોસી અને મને સુખભાઈ કાન્તિલાલ આદિ ભાઈઓએ આચાર્ય દેવને ચોમાસું પરિવર્તન કરવા માટે આગ્રહભરી વિનંતી કરતાં આચાર્ય શ્રીએ પણ આગેવાન કાર્યકર્તાઓના કહેવાથી તેમની વિનતી. ને સ્વીકાર કર્યો. પૂર્ણિમાના દિવસે સવારે સાડા આક વાગ્યે ડહેલાના ઉપાશ્રયથી શ્રી સંઘ એવં બેન્ડવાજ સાથે પ્રયાણ કરી–સમેતશિખરજીના દેરાસરે દર્શન ચૈત્યવંદન કરી છીપામાવજીની પળમાં પધાર્યા, ત્યાંના સ બાંધેલ ભવ્ય મંડપમાં પાટ પર બેસી આચાર્યશ્રીએ મધુરદવનીથી તાવિક વ્યાખ્યાન આપ્યું હતું, સવ મંગલ કર્યા પછી પતાસાની પ્રભાવના પિળ વતી કરવામાં આવી હતી. બારે વાજતે ગાજતે સંઘ સાથે જમાલપુર પટન દર્શન કરવા પધાર્યા, બીજા દિવસે સમેત શિખરજીના દેરાસરે પિળ વતી મેટી પૂજા ભણાવવામાં આવી હતી. સંઘના આગ્રહથી બે દિવસ ત્યાં રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034733
Book TitleAhmedabad Shaher Yatra
Original Sutra AuthorN/A
AuthorBhavyanandvijay
PublisherDahelano Upashray
Publication Year1955
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy