________________
પ્રકરણ ૫ મું.
પટાવળી’ પર પંઝાબ પક્ષના પ્રકાશ.
સને ૧૯૦૭ ના ડીસેમ્બરમાં મહારી પંઝાબની મુસાફરીમાં રહે તે તરફના સ્વધર્મીઓ-સાધુઓ વગેરેનાં ખાસ લક્ષણનો અભ્યાસ કરવાની તક હાથ કરી હતી, એવી જ રીતે અતિહાસીક શોધ માટે પણ પ્રયત્ન કર્યો હતું. જો કે મારી પંઝાબની સ્થિરતા ઘણી જ ટુંકી હતી તેથી કાંઈ વિશેષ ધળ મહારાથી થઈ શકી નથી તદપિ જે થોડા કલાક મહને મળ્યા તે હે નકામા જવા દીધા નહતા. પટાવળી સંબંધમાં જે કાંઈ પંઝાબમાં મહારા જાણવામાં આવ્યું તે અત્રે આપું છું.
આજ સુધી ગુજરાત તરફમાં એમજ સાંભળવામાં આવે છે કે શ્રીમાન લંકાશાહે જૈનધર્મને ઉદ્ધાર કરીને જેન ધર્મને સુકાઈ ગયેલે ઝરે પુનઃ ચાલુ કર્યો અને હેણે પુનરોદ્ધાર કરેલા ધર્મને લેકે સ્થાનકવાશી-સાધમાર્ગ-દુઆ આદિ નામથી ઓળખવા લાગ્યા. એ વગેરે સાંભળવામાં આવે છે, પરંતુ પંઝાબમાં મહું કાંઈક નવું જ સાંભળ્યું છે. એ નવું કેટલે અંશે સપૂર્ણ છે તે હવે પછી જોવામાં આવશે પણ જે કઈ કાચી ધાતુ મહને જડી આવી તે જાહેરમાં મુકવાની મ્હારી આહારી ફરજ સમજું છું. કે જેથી રસાયણ શાસ્ત્રીએ–શાધકે હેને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com