SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુનિએ જેટલો અભ્યાસ કર્યો હતો તે ખાત્રીપૂર્વક કહેવા માટે હારી પાસે કશા પુરાવા મોજુદ નથી; તો પણ હેમણે જૈન સાહિત્યમાં કરેલું વધારે જ એમના ઊંડા અભ્યાસ અને શક્તિને ખ્યાલ આપવા પુરહે છે. ભગવતીજી, જીવાભિગમછ, પન્નવણાજી, ચંદપન્નતી અને સૂર્ય પન્નતી એ પાંચ સિવાયના ૨૭ સૂત્રના રબા પુરવા ઉપરાંત હેમણે નીચેના અમૂલ્ય ગ્રંથ રચ્યા છેઃ૧ સમવાયાંગસૂત્રની હુંડી ૨ ભગવતીજીને યંત્ર ૩ પન્નવણુજીને યંત્ર. ૪ કાણુગજીને યંત્ર. ૫ રાયપણને યંત્ર, ૬ જીવભિગમ, જંબુદ્વીપ પન્નતી, ચંદપન્નતી અને સૂર્ય પન્નતી એ ચારને યંત્ર ૭ વ્યવહારની હુંડી. ૮ સત્ર સમાધીની હુંડી, દુપદીની ચર્ચા. ૧૦ સામાયિકની ચર્ચા. ૧૧ સાધુ સમાચારી. ૧૨ ચંદપન્નતીની ટીપ. ( સિવાય પણ કેટલાક ગ્રંથ છે ) આટલું બધું વિશાળ સાહિત્ય વારસામાં આપનાર ગુરૂને ઉપકાર કોણ ભૂલશે ? પરતુ ઉપકાર ન ભૂલવાની કસોટી કાંઈ હોના શબ્દ પરથી થઈ શકે નહિ; તે તે અનુયાયીઓના વર્તન પરથી જ થઈ શકે. મહારા આધિન મત પ્રમાણે તે શ્રીમાન ધર્મસિંહજીના અનુયાયી. એએ પિતાને તે પિતાના વારસાને લાયક ઠરાવવા માટે કાંઈક-કાંઈક કરી બતાવવું જોઈએ છે. તે ગ્રંથ કે જે રચવામાં વિશાળ વાંચનની જરૂર પડેલી હોવી જોઈએ તે ગ્રંથોની પ્રત શુદ્ધ કરી પ્રગટ કરાવવા જેટલી દરકાર અધાપિ સુધી કોઈએ બતાવી નથી. ચંદ્રપન્નતી અને સૂર્યપન્નતી એ એવાં કઠીન સૂત્રો છે કે ભલભલાની હૈમાં ચાંચ ડુબતી નથી. એવા ગંભીર વિષયને સરલ બનાવવા માટે શ્રીમાને “ ટીપ’—“ notes ” બનાવી છે, પણ તેને લાભ પટારા સિવાય બીજા કોઈને હાથ મળી શકતું નથી એ ખરે જ ખેદની વાત છે. દ્વિપદીની શાસ્ત્રાનુસાર ચર્ચા દ્વારા મર્તિપૂજા અગાઉના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy