SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ). દરવાજે બેશીને ઉપદેશ આપવાથી–Field preacher બનવાથી હેમને ઉપદેશ સાંભળવાની તક ઘણા લોકોને મળતી. ધર્મસ્થાપકો માટે ધર્મ ફેલાવવાને સાથી સારામાં સારો રસ્તો જાહેર ઉપદેશ જ છે. મુનિ ધર્મસિંહજીને જાહેરમાં થતે ઉપદેશ બાદશાહનો દલપતરાયજી નામને કામદાર કે જે શહેરના ઈશાન ખુણામાં સાબરમતી નદીને કિનારે એક વાડીમાં બાદશાહ હતા ત્યહાં મળવા જતો હતે હૈણે સાંભળ્યો તેથી તે જેન થયે તથા મહારાજને આગ્રહ કરીને પિતાના ફાલતુ મકાનમાં ઉતારે આપો, જે ફાસુક જગામાં મુનિને ઉપદેશ સાંભળવા ઘણું માણસો એકઠા થતા. સંવત સોલ પંચાશીયે. અમદાવાદ મુઝાર; શીવજી ગુરૂઠો છોડકે, ધશિ હુવા ગચ્છ બહાર ૬૦ ધર્મસિંહ લોકાગચ્છથી બહાર–જૂદા થયા અને યતિ વર્ગને બદલે શુદ્ધ સાધુ વર્ગ સ્થાઓ એ બનાવ સાથે સંવત ૧૬૮૫ની સાલ એડવામાં આવી છે. છતાં, મહું કેટલાકના સુખથી (ખેદ સાથે ) સાંભળ્યું છે કે છકોટી સમુદાયના કેટલાક મુનિઓએ ધર્મસિંહની ઘણુંજ નિંદા કરી છે; એવું સાંભળેલું કથન થોડે ઘણે અંશે પણ માનવાનું કોઈ કારણ હારી પાસે મોજુદ હોય તે તે છોટીના એક શ્રાવકે છપાવેલી પાવળી છે, કે જેમાં લવજી રૂષિના સંબંધમાં લાંબું ટાયલું લખ્યું છે અને ધર્મસિંહના સંબંધમાં માત્ર ૧૦ લીટી પ્રકરણના છેવટના ભાગમાં ન ટકે લખી વાળી છે; હેમાં પણ ઈ ચેખી જણાઈ આવે છે. જેમ વેતાંબરોએ દિગંબર પંથની સ્થાપના માટે એવી કલ્પના કરી કે અમુક સાધુની કાંબળ ગુરૂએ છીનવી લીધી તેથી વૈર ખાતર શિષ્ય નગ્નાવસ્થા પસંદ કરનારે નો પંથ કહાડેચા () તેમજ ધર્મસિંહની કીર્તિ ન સહન કરનારાઓ પિતાના જ ધર્મના એ સાધુને માટે લખે છે કે “તેમને શ્રી પૂજ્ય પદવી મળવાને હક હતો તે ન મળવાથી તથા ઉપાયા ૫દી પણ બીજા શિષ્યને મળવાથી કાગળ સીરાવીને સંવત ૧૭૦લ્માં ફરી દિક્ષા લીધી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy