SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પરંતુ આ ‘મિશનના જન્મ ઘણુમાં ઈગ્નિ ઉત્પન્ન કર્યો, ઘણાએ ચૈત્યવાશીઓ આ મિશનના સ્થાપનાર લેકશાહને તથા હેના અનુયાયીઓને ગાળો તથા નિંદાથી નવાજવા લાગી પડ્યા ! અને તેઓ ગાળે કે નિંદાનો ઉપયોગ કરે એમાં અસ્વાભાવિક કંઈ જ નહોતું; કારણ કે જોતજોતામાં તે મિશન હિંદના દરેક ભાગમાં ફેલાઈ ગયું અને ૪૦૦ વર્ષના અરસામાં ચિત્યવાશીઓ પૈકી ૫૦૦૦૦૦ (પાંચ લાખ)થી વધુ માણસે હેમાં સામેલ થયા. આવી અસાધારણ ફત્તેહ અસાધારણ ઈર્જા ઉત્પન્ન કરે તે એમાં કંઈ અસ્વાભ વિકપણું કહેવાય નહિ. અમદાવાદ શહેર કે હાં આ “મિશને પ્રથમ સ્થપાયું હતું અદ્યાપિ પયંત લોકાશાહના અનુયાયીઓ અને મૂર્તિપૂજક જૈનો વચ્ચે જે ઝપાઝપીઓ અને બૈયાબાડું ચાલતું આવ્યું છે હેનું કારણ પણ ઉપલી ટીકા પરથી ખુલ્લું સમજાઈ શકે તેમ છે. શ્રીમાન લંકાશાહનું મિશન” સખત પ્રતિરોધ સામે પણ ટકકર ઝીલી શકું અને હિંદના દરેક વિભાગમાં પહોંચી વળ્યું. એમાં તે પ્રચંડ આત્મિક બળવાળા પુરૂષનું “વિચાર બળ જ કારણભૂત છે. હેમણે સત્યને પક્ષ કર્યો હતો અને એવા પક્ષમાં તેની અંદગી Passive નહિ પણ Active હતી; તેઓ દઢ સંકલ્પ કરતા કે અમુક સ્થળે અંધકાર છે ત્યહાં પ્રકાશ થ જ જોઈએ, અને જરૂર એવો કાંઈ જોગ બની જ આવતો કે જેથી લોકાશાહને ઉપદેશ હાં પહોંચી જ જતો. આ સિવાય હેમણે મુસાફરી પણ ઘણું કરી હોવી જોઈએ, જાહેર રસ્તાઓ ઉપર હિંમતથી વ્યાખ્યાને આપ્યાં હોવાં જોઈએ. પરંતુ આવી કાંઈ જાતની નેધ હેમના નગુણીઆ ભકતએ સંગ્રહી નથી. હેમને જન્મ કઈ સાલમાં થયે, અવસાન કઈ સાલમાં, ક્યાં કયાં તેઓએ મુસાફરી કરી, હેમને ઘરસંસાર કે ચાલતા હતા, તેમનાં ખાસ લક્ષણ કયાં કયાં હતાં, હેમની પાસે કયાં કયાં સૂત્ર અને ગ્રંથો હતાઃ એ વગેરે પૈકી કશું આપણું જાણવામાં નથી. આપણે જેમ જેમ આ મહાન પુરૂષના વંશજોને ઈતિહાસ ( આ પુસ્તકમાં ) વાંચતા જઈશું તેમ તેમ જણાશે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy