________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના. ગૃહસ્થાશ્રમી શ્રાવકે માયા કરે નહિ તે મુનિયે માટે તે શું કહેવું ? શ્રી ભગવતીસૂત્રમાં તંગિકા નગરીના અધિકાર શ્રમણોપાસક [ શ્રાવકો ] નું વર્ણન વર્ણવતાં શ્રાવકેને
સાતિહા અર્થાત્ સ્ફટિકરત્ન જેવા નિર્મળ ચિત્તવાળા, વળી વિયતે ફરથwવેલા અર્થાત જેઓ અત્યંત ધર્મચુસ્ત છે માટે તેઓ અંતઃપુર અને ગૃહ પ્રવેશ માટે નિઃશંકાસ્પદ-પ્રતીતકારી ગણાય તેવા શીલવાન કહ્યા છે. સંસારમાં રહેલા આવા નિર્મળ ચિત્તવાળા, સરલ, શીલવાન ગૃહસ્થાશ્રમીઓને પ્રભુશ્રી ભગવતીજીવ-ભગવતી મનુષ્ય કહે છે. શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે – जइ वि य नगिणे किसे चरे, जइ वि य भुञ्जिय मासमन्तसो। जे इह मायाहि मिज्जई, आगन्ता गब्भाय णन्तसो ॥
અર્થાત–આનાથી ભ્રષ્ટ સાધુ નગ્ન (સર્વ બાહપરિગ્રહ રહિત) રહેતે હેય, દુર્બળ શરીર પણ વિચારો હેય, વળી માસક્ષમણ કરીને માસને અંતે સળીના અગ્ર ભાગે રહે તેટલે જ આહાર વાપરો હોય–જમતા હોય છતાં તે આ સંસારમાં માયા યુક્ત હાય-માયામાં લુખ્ય હાય, માયામાં રાચતે હેય તે તે આગામિક કાળે અનંત ગર્ભાદિ દુઃખ પામે–અનંત સંસાર પરિભ્રમણ કરે.
આ માયા અસત્ય બોલ્યા વિના થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજ કરવા તે પણ અસત્ય જાણવું. તપ પ્રમુખ માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો ડોળ દેખાય તે અસત્ય જાણવું. શ્રાવકના બીજા વ્રતમાં જૂઠના પાંચ સ્થૂલ પ્રકારો દર્શાવ્યા છે. વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જે પ્રકારે સમ્યક વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ દેશથી વ્રત ધારણ કરનાર અવશ્ય કરવા થગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com