SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સરજાય છે, અને સંખ્યાબંધ સાધુ સાધ્વીઓ અહીં પિવાય છે. અનેક બિનજરુરી મંદિર અને તીર્થોના પાયા અહીં નંખાય છે; અમદાવાદ જુનવાણીને મેટો દુર્ગ છે. આવા સ્થળે જૈન યુવક પરિષદ ભરાય અને તેમાં આટલાં બધાં ભાઈઓ અને બહેને ભાગ લે એ ભારે અસાધારણ બનાવ ગણાય. જે અમદાવાદના જૈન સમુદાયમાં જુના વિચાર અને રૂઢિઓ સામે બળવો જાગે તો આખી જેના કામમાં જરૂર એક નવ યુગ પ્રવર્તે. આ કારણે આ પરિષદના યજકોને મારું અંતઃકરણથી અભિનન્દન છે. ભૂતકાળની પરિષદ એક કાળ એ હતો કે આવી પરિષદે જ્યારે જ્યારે મળતી ત્યારે ત્યારે પોતપોતાની કેમ, જ્ઞાતિ કે સંપ્રદાયના હિતને લગતા પ્રશ્નોને જ વિચાર કરતી અને પિતાના વિભાગને ઉત્કર્ષ એજ તેનું ધ્યેય રહેતું. આવા સંકુચિત દૃષ્ટિબિન્દુથી કેમ કામ અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે ભેદભાવ જ પિવાયા કરતો અને કોઈ કોઈ વખત તેમાંથી કોમી ઝગડાઓ પણ ઉભા થતા. આજે આપણામાં રાષ્ટ્રભાવનાને જન્મ થયો છે અને રાષ્ટ્રઐકયની કલ્પના ઉભી થવા લાગી છે; તેથી આપણા પ્રશ્નોને કેવળ માં દૃષ્ટિબિન્દુથી વિચાર કરી શકીએ તેમ છીએ જ નહીં. આજે આપણે ગમે તેવા નાના કે મેટા વિભાગમાં મળીએ, પણ આપણે આખે દેશ આજે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, આખા દેશને અનુલક્ષીને આપણું અનિતમ ધ્યેય શું છે, ભવિષ્યમાં આપણે કયા પ્રકારની સમાજરચના કરવા માંગીએ છીએ તેનું આપણને સ્પષ્ટ દર્શન હેવું જોઈએ અને તેના આધારે આપણે જે વર્તુળમાં બેઠા હેઇએ અને જે વર્તવ ઉપર આપણું સત્તા પ્રવર્તતી હોય ત્યાં ભાવદર્શનને સાનુકુળ ફેરફાર નિપજાવવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. આગામી સ્વરાજ્યની કપા. આજે આપણે દેશ પરાધીન સ્થિતિથી જકડાયેલો છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034718
Book TitleRajnagarna Angne Maleli 2nd Jain Yuvak Parishadna Pramukh Sthanethi Parmanand Kapadia Bhashan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1936
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy