SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કે સન્ત પુરૂષની કેટીમાં મૂકી શકાય તેવા પણ હોય છે કે જેઓ સદા આત્મસાધનામાંજ નિમગ્ન રહે છે અને બીજી કોઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હોવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આ વર્ગ કોઈ કાળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. અત્યાર સુધી આપણે અનુભવ પણ આ જ અભિપ્રાયનું સમર્થન કરે છે. આપણું કોન્ફરન્સ જેવી સંસ્થા આગળ વધી શકતી નથી, કારણ કે જ્યારે કેટલાક સાધુઓ તે વિષે કેવળ ઉદાસીન છે, ત્યારે બીજા કેટલાક સાધુઓનો તે તે સંસ્થાને તોડી પાડવાનો જ ચાલુ વ્યવસાય હાય છે. સામાજિક વિષયમાં તેઓનું વળણ માટે ભાગે રૂઢિચુસ્ત જ માલુમ પડયું છે. આજે એક પણ સાધુએ અસ્પૃશ્યતાનિવારણ જેવી સર્વમાન્ય પ્રવૃત્તિમાં પણ પિતાથી બને તેટલે ફાળો આપ્યો હત તે આપણે કાંઈક સંતોષ માનત. ગાંધીજીનો આપણે કેટલાક સાધુઓએ કયાં છે વિરોધ કર્યો છે? નવી કેળવણું ઉપર ગણ્યા ગાંઠયા અપવાદ સિવાય સર્વ સાધુઓને કટાક્ષ ચાલુ જ હોય છે. અમુક સાધુઓને નાના છોકરાંઓ મુંડવાનું ગાંડપણ લાગ્યું છે તે બીજા સાધુઓને જ્યાં ત્યાં બીન જરૂરી ગંજાવર દેવાલો ઉભા કરાવવામાં જ પિતાના સાધુપણાની સાર્થકતા સમજાણું છે. સાઘુઓમાં ઘણું ખરા સ્થિતિચુરત છે, કેટલાક નવા વિચારના વાઘા પહેરીને ફરે છે પણ અંદરનો રંગ તો એવોને એ જ હોય છે; કઇ ઈ એવા છે કે જેના ઉપર નવા પ્રકાશની છાયા પડી છે, તો તેમનામાં કેવળ ભીરતા જ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે. ઉલટું તેઓની સત્તાનો સમાજ પ્રગતિના પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાય જવાની આજે જરૂર ઉભી થઈ છે. છે વેશપૂજા આપણુ પ્રજાના માનસ ઉપર વેશપૂજાને ભારે મહિષા વતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034718
Book TitleRajnagarna Angne Maleli 2nd Jain Yuvak Parishadna Pramukh Sthanethi Parmanand Kapadia Bhashan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1936
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy