SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કિ કરી હિંસા માટે અહિંસા અને હિંસાથી અહિંસા સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના નિયમન હેઠળ મોટે ભાગે આજનું વિશ્વ “જીવો અને જીવવા દો’ સહઅસ્તિત્વનો અધિકાર’ અને ‘પરસ્પરનો આદર'ના સિદ્ધાંતના સ્વીકાર સાથે અસ્તિત્વમાં છે. આ વ્યવસ્થામાં જમીની વિસ્તાર દ્વારા સૌથી મોટો દેશ રશિયા છે તો સૌથી નાનો દેશ વેટીકન છે. વસ્તીની ગણત્રીએ સૌથી મોટો પ્રદેશ ચીન છે તો સૌથી નાનો પ્રદેશ વેટીકન છે. આમ છતાં રાજકીય અથવા સામાજિક ઊથલપાથલને કારણે ૧૯૯૦ પછી ૩૪ નવાં રાજયો અસ્તિત્વમાં આવ્યાં. આદર્શ રીતે કોઈ પણ દેશ, ધર્મ, જાતિ કે સમાજનો સભ્ય એમ કહેશે નહીં કે સ્વીકારશે નહીં કે હિંસા કરવી જોઇએ. વિશ્વના માનવનો સ્વભાવ કે વર્તણૂક કુદરતી ધર્મ સમાન છે. અહિંસા સર્વમાન્ય વિક સિદ્ધાંત છે. દુનિયાના લગભગ દરેક ધર્મ, ધર્મગ્રંથો અને તે ધર્માત્માઓએ એક અથવા બીજા સ્વરૂપે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. જગતની તમામ પરંપરાએ પ્રેમ અને સ્નેહની વાત કરી છે. સામાજિક સંદર્ભમાં હિંસા-અહિંસાનો ઉપર મુજબનો દૃષ્ટિકોણ જાણ્યા બાદ જૈન ધર્મમાં હિંસાઅહિંસાને શું છે તે જાણીએ. જૈન શાસ્ત્રમાં હિંસાને ચાર પ્રકારે વર્ગીકૃત કરવામાં આવી છે તે ૧. સંકલ્પી હિંસા - ઇરાદાપૂર્વકની દા.ત શિકાર, પ્રાણી બલિદાન, માંસાહારી ખોરાક, મનોરંજન અથવા સુશોભન માટે કે જેને દરેક વિચારશીલ વ્યક્તિ દ્વારા કોઈપણ મુશ્કેલી અથવા નુકસાન વિના ટાળી શકે; ૨. આરંભી કે પ્રહારંભી હિંસા - જે જરૂરી ઘરેલું કાર્યો, જેમ કે ખોરાકની તૈયારી, ઘર, શરીર, કપડાં અને અન્ય વસ્તુઓને સ્વચ્છ રાખવા, ઇમારતો, કૂવાઓ, બગીચાઓ અને અન્ય માળખાને જાળવી રાખવાની આવશ્યક 16 621 હરપળે સાવચેત અને સંવેદનશીલ રહેવું અને દૈનિક ' પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત લેવું આવશ્યક છે. – બકુલ ગાંધી R સ્થાનિક પ્રવૃત્તિઓ કરવા જતાં જે હિંસા થાય છે; ૩. ઉદ્યમી હિંસા - હિંસા એ ઈજા છે કે જે કોઈપણ અનુમતિશીલ વ્યવસાયની કામગીરી કરતાં અનિવાર્યપણે થાય છે-દા.ત. અસી, મસી, કૃષિ એટલે કે સૈનિક, લેખક, કૃષિ, ખેડૂત, વેપારી, શિલ્પી કારીગર, શિક્ષણ, તબીબી સારવારનો વ્યવસાય હાથ ધરતાં ૪. વિરોધી હિંસા (રક્ષણાત્મક હિંસા) - દેશની સુરક્ષા અથવા અન્યાય સામે, જયારે અન્ય બધા વિકલ્પો નિષ્ફળ જાય છે ત્યારે, લડવા માટે યુદ્ધ વગેરેથી થયેલી હિંસા. ચાર શ્રેણીઓમાંથી સંકલ્પી હિંસા સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. હિંસાની અન્ય ત્રણ શ્રેણીઓ શ્રાવકો અથવા સાંસારિક લોકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી કારણ કે નિયમિત આવી સંસારી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રક્રિયામાં લઘુતમ હિંસા અનિવાર્યપણે થવી સ્વભાવિક છે. જ્યારે આ અનિવાર્ય હિંસા શ્રાવક માટે સંપૂર્ણપણે | પ્રતિબંધિત નથી, પરંતુ તે ઓછામાં ઓછા સ્તરે રાખવા અહિંસાઃ અનોખો ગાંધીવિચાર માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસાના વિચારનો સિંહફાળો હતો તે તો હવે દુનિયા સ્વીકારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો છે. એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.' 464 163L
SR No.034716
Book TitleAstittvani Adharshila Ahimsa
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy