SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરમાં જ્યાં સંબં િથતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિર્ચ કે મિર્ચથીઓને જવું ન ખપે. કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ધમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિરોને કે નિગ્રંથીઓને જવું ન ખપે. ૨૫૩ વર્ષાવાસ રહેલા કરપાત્રી બિસુને કહ્યું માત્ર પશુ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે. ૨૫૪ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા-લઈને અઘરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં સ્કીને જોજન કરવું ને ખપે. અગાસામાં રહેતાં–ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તે ખાધેલું ડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થાએ પિતાને સારુ બરાબર છાયેલાં ઘર તરફ જાય, અથવા ઝાડનાં મૂળે તરફ-ઝાડની ઓથે જાય; જે હાથમાં ભેજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણીને છાંટો અથવા ઓછામાં ઓછી ઝીણી ફરફરે-ઝાકળ-એસ વિધના ન પામે તે રીતે વર્તે-રહે. ૨૫૫ વર્ષાવાસ રહેલા પાત્રી ભિક્ષુને જ્યારે જે કાંઈ કમાત્ર પણ સ્પરું થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે. ૨૫૬ વર્યાવાસ રહેલા પાત્રધારી ભિક્ષુ અખંડધારાએ વરસાદ વરસતે હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે. તેમ તે તરફ સિવું ને ખપે. એ વરસાદ વરસતે હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઉપર ઊનનું કપડું ઓઢીને ભજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે. ૨૫૭ વર્ષાવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પડેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને આંતરે આતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગ્રહની એટલે ચાર વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની એથે જવું ખપે. ઉપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જે તે નિગ્રંથ કે નિર્ચથી પહેચ્યા પહેલા જ અગાઉથી તૈયાર કરેલા ચાવલઓદન મળતા હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલે ભિલેગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વ તેલવાળે સૂપ મળતા હોય તે તેમને ચાદન લે ખપે અને ભિલિંગસૂપ લે ને ખપે. For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy