SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છવસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં-એટલા સમય સુધી કેલિપર્યાયને પાગ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું રાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગેત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમાદષમા નામની અવસપિણને ઘણે સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માધ માસને વ૦ દિ. પક્ષ આવે ત્યારે તે માઘ ૧૦ દિ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભ અરહત બીજા ચૌદ હજાર અનગારે સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રને જોગ થતાં દિવસના ચડતે પહેરે પલ્યકાસનમાં રહેલા કાલગત થયા યાવત્ સર્વદુઃખેથી તદ્દન હીણ થયા-નિર્વાણ પામ્યા. ૨૦૦ કૌશલિક અડુત ઝષભનું નિર્વાણ થયે યાવત તેમને સવંદુકથી તદ્દન હીણ થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કટાકટી સાગરોપમ એટલે સમય વીતી ગયે, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પાણુ નવ વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એશીમા વરસને આ સમય જાય છે. સ્થવિરેની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધર હતા. ર૦૨ પ્ર–તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણુધરે હતા ?' ઉ–શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ત્રના અનગારે પાંચર્સ શ્રમણોને વાચના આપેલી છે, જે વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનારે પાંચ શ્રમણને વાચના આપેલી છે, ૩ નાના ગોતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચર્સ શ્રમણોને વાચા આપેલી છે, ૪ ભારદ્વાજગેત્રી સ્થવિર આર્યવ્યક્ત પાંચર્સ શ્રમને વાચના આપેલી છે, ૫ અવૈિશાયગોત્રી For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy