SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણ પૂર્વક અધ્યયન કરવું અતિઆવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રીહેમચંદ્રસૂરિના ઉપર બાળપથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાંગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રેમ કર્યો છે તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરાશે માં જે પ્રગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં કયાંથી આવ્યાં ? તેમજ એ ભાષા ઉપર લેખકના લિપિષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી. શી અસર થઈ છે અને તેને વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો છે, તેનો સાચા જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યા આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વના બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણે ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણુકી સર્વદેશીયતા અને સવાંગ પૂર્ણતાં છે. આ ઉપરાંત, જેન આગમના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે તેટલી જ જરૂરીઆત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગએલ જૈન આગમ અને તે ઉપરના નિર્યુક્તિ-ભાગ આદિ વ્યાખ્યાગ્રંથના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા બ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિષના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકે કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ સંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથ માં જ્યાં સંખ્યાને નિર્દેશ કરવામાં આવતું કે ભાંગાએ અથવા મગજળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરોમાં દેખાડતા. એટલે એ અક્ષરાંકાનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું-ઉપર જણાવેલા ભ્રામક પાઠ કે વિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠના પાઠાબેને મોટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠે કે જેની અર્થસંગતિ કે રીતે થઈ શકતી હોય તેવા પાઠો આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨, આ ઠેકાણે पक्कमट्टियं सं. पझमृत्तिकम् एकमट्टियं सं. एकमृत्तिकम् पक्कमिजयं सं. प्रक्रान्तव्यम् આ ત્રણ પાઠવે અપાયા છે. એ જ રીતે ગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીકવાર પ્રાકૃત ભાષાભેદ જનિત હજારે પ્રકારના પાઠે પિકી કઈ કાઈ પાઠવ્યો નેધ્યા છે. બાકી મોટે ભાગે જ કરવામાં આવ્યા છે. ઉ. તરીકે-૩૪ ના उति जतति, उउद्धिता उजुद्धिता ओवद्धिता, पुणिमात पुण्णिमाप पाणिमाते, लोको રોજ રોજ જોન, sોજ મા મમ મોત ઈત્યાદિ. આવા સ્વવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠ પિકી કવચિત્ કવચિત્ પાઠ આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠને જતા કરવામાં આવ્યા છે. For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy