SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ તે જાણે છે, ૨ “હું લઈ જવાઉ છુંએમ તેઓ જાણતા નથી અને ૩ “હું લઈ જવાઈ ચૂ” એમ તેઓ જાણે છે. ૩૨ જે ૨ શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગાત્રવાળી દેવાનંદા માહણીની ખમાંથી ઉપાડીને વાસિક ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણની ફૂખમાં ગર્ભમણે શેથ્વી દીધા તે રાત્રે એ દેવાનંદ માણી પોતાની પથારીમાં સૂતી જાગતી ઉંઘતી ઉધતી પી હતી અને તે દિશામાં એણુએ, પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કયાણુરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારા શોભાવાળાં એવાં ચૌદ મહાસ્વમ ત્રિશલા ક્ષત્રિયાણ હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ વર્મા આ પ્રમાણે છે. હાથી, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલા છે. ૩૩ હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવનંદા માહeણીની ફૂખમાંથી ઉપાડીને વાસિક ત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોષ્પવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના તે તેવા પ્રકારના વાસણમાં રહેતી હતી, જે વાસઘર-સૂવાને ઓરડે–અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધૂળેલું, ઘર્મને ચકચકિત કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દે રેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગયેલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્ગ સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલે જયાં ત્યાં વરીને તે ઓરડાને સુગંધિત બનાવેલું હતું, કાળે અગર, ઉત્તમ કુદરૂ, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના છે ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડે મધમધી રહ્યો હતો અને તે ધૂપમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડે સુન્ન બનેલા હતા, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગધ થઈ રહ્યો હતેા અને જાણે કે કે ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો. તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હનું, બન્ને બાજુએ-માથા તરફ અને પગ તર-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા કડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર એલ એ અળસીના કપડાને એ છાડ બીછાવેલ હતો, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરે ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી સ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પારીની આસપાસ અને ઉપર For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy