SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત્ બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ રેડીને એમ દેવની જેવી આશા એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આશાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિણેગમેલી દેવ, દેવેંદ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને ક્રિયસમુદૃઘાતવડે પિતાના શરીરને બદલવાને પ્રયત્ન કરે છે, એમ કરીને તે પિતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મપુદ્ગલના સમૂહને સંખ્યય જનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પિતાના શરીરને નિર્મળ-ધાણું સારુંબનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થલ પુદગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત એ યુગલ પરમાણુઓ જેમકે સ્તનનાં, વજન, વૈડૂર્યનાં, લોહિતાક્ષનાં, મારગલનાં, હંસગર્લનાં, પુલકનાં, સૌગંધિકનાં, નીરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, એકનાં, ફટિકનાં અને રિઇનાં એ તમામ જાતનાં રની જેવાં સ્થલ છે તે એવાં પોતાના શરીરમાં જે રશૂલ પુગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂમ પુદગલેને એટલે સારરૂપ એવાં સારાં પુદ્દગલેને ગ્રહણ કરે છે. - ૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂમ પુદગલનું ગ્રહણ કરીને ફરીવાર પણ વક્રિયસમુદબાત કરે છે, એમ કરીને પિતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર ધેક્રિય શરીર–પતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિએ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શોધ દિવ્ય દેવગતિ વડે ચાલતા ચાલતા એટલે નીચે આવતો નીચે આવતો તે, તીર છે અસંખ્ય દ્વિીપ અને સમુદ્રની વચ્ચોવચ્ચ જે બાજુએ જંબુદ્વીપ આવેલ છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે અને તેમાં જ્યાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ધર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવાર સહિત દેવાનંદ માહણને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદ માણી ઉપર ઘેનનું ધારણુ મૂકે છે, એ બધાને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદગલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વરછ પરમાણું– પગલોને ફેંકે છે–વેરે છે-ફેલાવે છે, એમ કર્યા પછી “ભગવન્! મને અનુજ્ઞા આપે” એમ કહી પિતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કેાઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિય કુંડગ્રામ નગમે છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાને ગાઢ ઉંધના ઘારણ્યમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy