SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંડગામ નગરમાં કોડાલગેત્રના રિષભદત્ત માહણની ભાજપની જાલંધરની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરખે શરુ થયે, ગુડ-કુકમાન થયે, ચિત્તમાં આનંદ પામે, બહુ રાજી થયા, પરમ આનંદ પામ્ય, મનમાં પ્રીતિવાળે થે, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં ફેવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉનામ કમલ જેવાં નેત્ર અને મુખ વિકસિત થયાંખિલી ગયા, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હલુ હલું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવું તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પિતાના સિંહાસન ઉપરથી ઊભો થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભું થઈ પિતાને પાદપિઠ ઉપર નીચે ઊતરે છે, યાદપીઠ ઉપર નીચે ઊતરી તે, મરત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળકતાં મણિરથી સુશોભિત એવી પિતાની મેજડીએ ત્યાં જ પાપીઠ પાસે ઊતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પિતાના ખભા ઉપર બેસને જઈની પેઠે ગઠવીને એટલે એકવડું ઉત્તરસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસિંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પિતાના બે હાથ જોડવા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબો ઢીંચણું ઊંચું કરે છે, ડાબે હીંચણ ઊંચો કરીને તે જમણા હીંચણને તળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોંયતળ ઉપર લગાડી પછી તે છેડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાને લીધે ચંપાપ થઈ ગએલી પિતાની બને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને એડી માથું નભાવી માથામાં મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે બાલ્યોઃ ૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થને પ્રારંભ કરનારા એવા તીર્થકરોને, પોતાની જ મેળે બંધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષોમાં ઉત્તમ અને પુરુમાં સિંહસમાન, પુરુષમાં ઉત્તમ કમળસમાન અને પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલેકમાં ઉત્તમ, સર્વલકના નાથ, સર્વલેકનું હિત કરનારા, સર્વલેકમાં દીવા સમાન અને સર્વલેકમાં પ્રકાશ પહોંચાડનાર, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લેકને આંખ સમાન શાસ્ત્રની ના કરના, એવા જ લોકોને માર્ગ બતાવનાર, શરણ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને મુક્તિને-દેનારા તથા બાધિબીજને સમકિતને આપનારા, ૫ ધન દેનારા, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડુબતા લેકીને હીપ-બેટસમાન, રક્ષણ આપનાર, શરણ દેનારા, આધાર સમાન અને For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy