SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર?” આ જાતને પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચિદસ્વપ્નને લગતા વકત્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણુસર આ ઠેકાણે શ્ચિાદવપ્નને લગતા કોઈને કોઈ પ્રકારના વર્ણકગ્રંથનું દેવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ ત્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિએ ન હોય ત્યાં સુધી એ વર્ણચંઘ કે હવે જોઈએ, એને નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વર્ણ ગ્રંથના માલિકપણા વિષે શંકાને સ્થાન છે, તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વકત્રંથ અર્વાચીન હોય તે પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ, આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભા પહા૨, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિઢાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિર્વાણુ, અંત ભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તે ચૂર્ણિકાર પોતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતે કે જેમાં ત્રેવીસ જિનેશ્વરનાં ચરિત્ર અને અંતર વિના સૂત્રપાઠને સમાવેશ થાય છે તેની તથા ગણુધરાદિ સ્થવિરેની આવતી અને સામાચારગ્રંથ લેવાની સાક્ષી નિયુક્તિકાર અને ચર્ણિકાર એમ બને ય સ્થવિરો gfમઘાન વોટ નિગાટ દર અને તેની ચૂકી દ્વારા આપે છે. ગણુધરાદિ સ્થવિરેની આવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તે ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રીઆચંદ્રબાહસ્વામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગાને પુસ્તકાઢ કરવામાં આવ્યાં તે જમાનાના વિરોએ એ ઊમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઊંચિત છે. આમ છતાં એક પ્રશ્ન તે આપણા સામે આવી ઉભે જ રહે છે કે- આજની અતિ અર્વાચીન અર્થાત સેળમાં સત્તરમા સિકામાં લખાએલી પ્રતિઓમાં જે વિરાવલી જોવામાં આવે છે, એ કયાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના વિરને લગતી સ્થવિરાવલી કોઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરા યે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હોય છે. એટલે આ વિષે ચોક્કસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષચક જે સૂત્રે છે તે પૈકી સૂત્રાંક ૨૩૧માં જંતર વિ જ સે જ જો તે જmg { રાજ સાજ વિર આ પ્રમાણે જે મૂત્રાંસા છે તે પંચમીની ચતુથી કરાઈ તે પછી છે, એમ આપને સ્વાભાવિક જ લાગે છે. આ સવાંશને આપણે કેવો અર્થ કરે જોઈએ અને ઉત્સર્ગ – અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ ?, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને મારી અ૫ બુદ્ધિએ હું સમજ્યો છું ત્યાં સુધી “ સંવત્સરી પર્વની આરાધના કાર For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy