________________
ને
સમર્થ છો સ્વામી ! તમે આ સર્વ જગને તારવા, મુજ સમા પાપી જનોની દુર્ગતિને વારવા; આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ ! શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે ? - ૨૪
। તુમ પાદપદ્મ રમે પ્રભો ! નિત જે જનોના ચિત્તમાં, સુર ઈન્દ્ર કે નર ઈન્દ્રની પણ એ જનોને શી તમા ? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, | સદ્ગુણોની શુભગન્ધ એના આત્મમાંહે મહમહે - ૨૫ । અત્યંત નિર્ગુણ છું પ્રભો ! હું દૂર છું હું દુષ્ટ છું, ! | હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું
We
વિણ આપ આલંબન પ્રભો ! ભવભીમસાગર સંચરું, હું મુજ ભવ ભ્રમણની વાત જિનજી ! આપ વિણ કોને કરું ! -૨૬ મુજ નેત્રરૂપ ચકોર ને તું ચન્દ્રરૂપે સાંપડયો, તેથી જિનેશ્વર આજ હું આનંદ ઉદધિમાં પડયો; જે ભાગ્યશાળી-હાથમાં ચિંતામણિ આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે ? - ૨૭
૨
હે નાથ ! આ સંસાર સાગર ડૂબતા એવા મને, * મુક્તિપુરીમાં લઈ જવાને જહાજ રૂપે છો તમે; I શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો ! i મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો ? - ૨૮ જે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માલા લઈને પ્રેમથી કંઠે વે; તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિન્તામણિ તેને કરે, વાવ્યો પ્રભો ! નિજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે - ૨૯
૫૨