________________
અધર્મના કાર્યો બધા દૂર કરીને ચિત્તને, જોડું સમાધિમાં જિનેશ્વર ! શાન્ત થઈ હું જે સમે; ત્યાં તો બધાયે વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહના સામ્રાજયમાં લઈ જાય છે બહુજોરથી - ૧૮ છે મોહ આદિક શત્રુઓ હારા અનાદિ કાળના, એમ જાણું છું જિનદેવ ! પ્રવચનપાનથી હું આપના; તોયે કરી વિશ્વાસ એનો મૂઢ મેંઢો હું બનું, એ મોહ બાજીગર કને કપિ રીતને હું આચરું - ૧૯ ] એ રાક્ષસોના રાક્ષસો છે કૂર પ્લે છો એ જ છે, | એણે મને નિષ્ફ ૨પણે બહુ વાર બહુ પીડે લ છે ; ભયભીત થઈ એથી પ્રભુ ! તુમ ચરણ શરણું મેં ગ્રંહ્યું, જગવીર ! દેવ ! બચાવજો મેં ધ્યાન તુમ ચિત્તે ધર્યું - ૨૦ ક્યારે પ્રભો ! નિજ દેહમાં પણ આત્મબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેક ને ચિત્તે સજી; સમ શત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, . રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો ! આનંદથી ? ૨૧ ગતદોષ ગુણભંડાર જિનજી ! દેવ હારે તું જ છે, સુરનર સભામાં વર્ણવ્યો જે ધર્મ હારે તે જ છે; એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મ્હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્તે ધરો - ૨૨ , ષ વર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહંત ! ઉજજવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યો તમે; અશકત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને - ૨૩
૫૧