________________
[ ચોવીસ જિન સ્તુતિ |
(રાગ : તે પંખીની ઉપર પથરો...) જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી; વહેતો કીધો સુગમ સઘળો મોક્ષનો માર્ગ જેણે, વજુ હું તે ઋષભજિનને ધર્મ ધોરી પ્રભુને....
૧ દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારા કરે છે, તો ને આ હૈયું ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે;ાડી , આત્મા મારો પ્રભુ તુજ ને આવવા ઉલ્લસે છે, તે આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે ...૨ કી. જે શાંતિના સુખ સદનમાં મુકિતમાં નિત્ય રાજે, વી જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે; દેવેન્દ્રોની પ્રણયભરની ભકિત જેને જ છાજે, કારણ વંદું તે સંભવજિને તણાં પાદ પઘો હું આજે...૩ / 1 ચોથા આરા રૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતી કર્મો રૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા; સાચે ભાવે ભવિક જનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હું ચહું નિત્ય રે'વા....૪ આ સંસારે ભ્રમણ કરતાં શાંતિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યાં કુમતિ વિશથી મેં બહુ હે મુનીન્દ્ર, તો નાવ્યો ભવ ભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિ દાતા સુમતિ જિનજી દેવ છે તું જ મારે...૫