________________
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકો કે સાધુ ઓનો ધર્મ પણ પાળ્યો નહિ; પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું, ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ | હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં, - ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં;
જે પ્રગટ સુખ દેનાર હારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરૂણા કઈ. ૧૯ | મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નરક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઇ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરૂ વાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને ? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુન્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી; ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩
RO