________________
પ્રભુ સાથે પ્રીત )
અનાદિ અનંત છે આ સંસાર....! કેવો ?.... આધિ-વ્યાધિઉપાધિથી ભરપૂર....દુ:ખરૂપ- દુ:ખફલક-દુ:ખાનુબંધી....દુ:ખમયIT પાપમય-રાગમય-સ્વાર્થમય -અજ્ઞાનમય !..... આવા બિહામણા સંસારની
૮૪ લાખ જીવાયોનિમાં ગતિઓમાં ચાલુ છે, રઝળપાટ આ જીવની ) I અનંતકાળથી!..... શાના કારણે ? 1 પોતાના અનંત સહજ આનંદમય સ્વરૂપમાં રમણતા કરવાને બદલે, - કંચન-કામિની- કુટુંબ-કાયા-કીર્તિ આદિ પ્રત્યેના અપ્રશસ્ત રાગના કારણે જ !
વાત સાચી, પરંતુ શું છૂટાય અનંત જન્મોથી પુષ્ટ થયેલા રાગના || કાતીલ સંસ્કારોથી ???.... આ રહયો તેનો સરળ અને સચોટ ઉપાય !.... |
રાગ વિજેતા પરમાત્મા સાથે અનન્ય પ્રીત બાંધો !...
કાંટો કાંટાથી નીકળે તેમ જડ પદાર્થો પ્રત્યેના રાગને દૂર કરવા | માટે શુધ્ધ ચેતન્ય સ્વરૂપી વીતરાગ-અરિહંત પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રીતિ | | સ્વરૂપ પ્રશસ્ત કોટિનો મહારાગ કરવો એ જે સરળ, સચોટ અને શ્રેષ્ઠ | | ઉપાય છે ! ..
સંગ તેવો રંગ અને સોબત તેવી અસર એ ન્યાયે વીતરાગ પ્રભુ I સાથે પ્રીત બાંધવાથી આપણો આત્મા પણ સહેલાઇથી વીતરાગ બની | શકે છે ! .....
I શ્રુત સાગરના પારગામી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ I પણ નીચેના શ્લોકમાં પ્રભુભકિતનો મહિમા વર્ણવતાં સ્વાનુભવપૂર્વક ન જણાવે છે કે
सारमेतन्मया लब्धं, श्रुतान्धेरवगाहनात् ।
भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ।।
અર્થ : ધૃતસાગરમાં ડૂબકી લગાડવાથી મને જે સાર પ્રાપ્ત થયું છે ! | તે આ છે કે -
પરમાત્માની ભકિત એ જ પરમાનંદની સંપત્તિનું મૂળ છે. ! ...